ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના ઘણા રોજગાર-ધંધા પર તેની અસર જોવા મળી રહી છે. જેમાં રાજ્યમાં હાલ કોરોના કાળમાં હીરાની ચમક ખોવાતી જોવા મળી રહી છે. મુંબઇ-સુરત બાદ હવે અમદાવાદમાં હીરા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત બાદ હવે અમદાવાદ હીરા માર્કેટ મંદીના માહોલમાં
મુંબઈ બાદ સુરત હીરા માર્કેટ કોરોનાને લઈને કરાયું છે બંધ
કોરોનાના કારણે બાપુનગર હીરા માર્કેટ પણ બંધ થવાના આરે
ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે રાજ્યના કેટલાંક રોજગાર-ધંધા પર તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના હીરા માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત બાદ હવે અમદાવાદમાં આવેલ બાપુનગર હીરા માર્કેટ પણ બંધ થવાના આરે છે.
રાજ્યમાં કોરોના કાળમાં હીરાની ચમક ઘટેલી જોવા મળી રહી છે. મુંબઇ બાદ સુરત હીરા માર્કેટ કોરોનાના સંકટ વચ્ચે બંધ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં હીરાના રત્નકલાકારોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જાવો મળ્યો હતો. જેને લઇને તંત્ર દ્વારા સુરતનું હીરા માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું.
ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે હીરા માર્કેટમાં અંદાજિત 100 કરોડનું નુકસાન પહોંચે તેવી શક્યતા છે. રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન બાદ 1 જૂનથી હીરાના કારખાના શરૂ થવાની સાથે જ બંધ કરવાની ફરજ પડી છે. હીરાના માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે અનલોક-2માં છૂટછાટ અપાઇ પરંતુ અમારી મુશ્કેલીનું શું ?
સુરતમાં કોરોનાના વધતા કેસોને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કતારગામ અને વરાછામાં ડાયમંડ એકમોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં સતત કેસો વધતાં કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.