કોવિડ 19ના ડેલ્ટા વેરિએન્ટ નેચરલ એન્ટીબોડી અને રસીકરણથી બનેલી એન્ટીબોડીને બાયપાસ કરી શકે છે.
10 ટકા હેલ્થકેર વર્કરોમાં બ્રેક -થ્રૂ ઈન્ફેક્શન મળ્યા
દર 10માંથી એવા વર્કર રસી બાદ પણ સંક્રમિત થયા
ડેલ્ટા વેરિએન્ટમાં બેવડા કવચને છેતરવાની ક્ષમતા
દર 10માંથી એવા વર્કર રસી બાદ પણ સંક્રમિત થયા
દિલ્હીમાં 10 ટકા હેલ્થકેર વર્કરોમાં એવા બ્રેક -થ્રૂ ઈન્ફેક્શન મળ્યા છે. જેમાં પહેલાથી એન્ટીબોડી હતી. એટલે કે દર 10માંથી એવા વર્કર રસી બાદ પણ સંક્રમિત થયા છે. ડેલ્ટા વેરિએન્ટએ તેની એન્ટીબોડીને પણ છેતરી સંક્રમિત કરી દીધા છે. રીઈન્ફેક્શન અને રસીકરણ બન્ને બાદ પણ ડેલ્ટાએ સંક્રમણના પુરાવા મળ્યા છે.
ડેલ્ટા વેરિએન્ટમાં બેવડા કવચને છેતરવાની ક્ષમતા
દિલ્હી સરકારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિઝમાં થયેલા એક અભ્યાસમાં તેનો ખુલાસો થયો છે. સ્ટડીની આગેવાની કરનારા ડો. એક્તા ગુપ્તાએ કહ્યું કે આ સ્ટડી એ બતાવી રહી છે કે ડેલ્ટા વેરિએન્ટ ઘણો સંક્રમક છે અને આ બન્ને પ્રકારથી બનેલી એન્ટીબોડીને છેતરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો કે આવા લોકોમાં સીવિયરિટી ઓછી છે પરંતુ લોકોને રસીકરણ બાદ કોવિડ બિહેવિયરનું પાલન કરતા રહેવું જોઈએ જેથી તેના કારણે બીજા લોકો સંક્રમિત ન થાય.
એન્ટીબોડી બાદ જ્યારે સંક્રમણ થઈ જાય તો તેને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન કહેવાય
ડો. એક્તાએ જણાવ્યુ એન્ટીબોડી બાદ જ્યારે સંક્રમણ થઈ જાય તો તેને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે. આ સ્ટડીમાં ચોંકાવનારી વાત એ હતી કે સિંગલ ડોઝવાળામાંથી સંક્રમિત મળ્યા. બન્ને ડોઝ બાદ પણ સંક્રમણ મળ્યું અને પહેલા સંક્રમણ ફરી રસી લેનારા પણ સંક્રમિત થઈ ગયા. એટલે કે ત્રણેય સ્તર પર એન્ટીબોડીને કોવિડ વેરિએન્ટ બાયપાસ કરતો જોવા મળ્યો.
તેમનામાં સંક્રમણ રેટ 21 ટકા સુધી જોવા મળ્યો
રસી બાદ જે લોકોમાં સંક્રમણ મળ્યું તેમાંથી સીવિયરિટી ઓછી નથી. જે લોકોએ રસી નથી લીધી તેમનામાં સંક્રમણ રેટ 21 ટકા સુધી જોવા મળ્યું. પરંતુ 9.52 ટકા લોકો રસી લીધા બાદ પણ સંક્રમિત થયા. ડોક્ટરે કહ્યું કે જે લોકો સંક્રમિત મળ્યા તેમાંથી જે લોકોએ રસી નહોંતી લીધી તેમનામાં સીવિયિરિટી વધારે હતી. સારવાર દરમિયાન એકનું મોત થઈ ગયુ. પરંતુ જે લોકોએ રસી લીધી હતી તેમનામાં ગંભીરતા ઓછી થઈ છે. તેમનામાં લક્ષણો ઓછા જોવા મળ્યા. સ્ટડીથી એ પણ જાણવા મળી રહ્યું છે કે જે લોકો રસી લઈ રહ્યા છે તેમને સુરક્ષા વધારે છે. જે લોકોએ રસીના ડબલ ડોઝ લઈ રાખ્યા હતા. તેમની સરખામણીએ જેમણે એક ડોઝ લીધા હતા. તેમનામાં વધારે લક્ષણો જોવા મળ્યા. બન્ને ડોઝ વાળાની સરખામણીએ તેઓ વધારે હેરાન થયા છે.
આ વેરિએન્ટ બહું મોટા સ્તર પર સંક્રમક છે
સ્ટડીમાં જોવા મળ્યું કે કેટલાક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને તેમણે રસી પણ લઈ રાખી હતી. તેમ છતાં તે સંક્રમિત થઈ ગયા. એટલે કે નેચરલ એન્ટીબોડી બની. એ બાદ રસીથી એન્ટીબોડી બની. બાદમાં તેઓ સંક્રમિત થયા. જેનાથી એ ખબર પડી રહી છે કે આ વેરિએન્ટ બહું મોટા સ્તર પર સંક્રમક છે.
ડોક્ટરો તથા નર્સોમાં સૌથી વધારે બ્રેકથ્રૂ સંક્રમણ
આ સ્ટડીમાં 13 ટકા ડોક્ટર અને 27 ટકા નર્સે બ્રેકથ્રૂ સંક્રમણનો શિકાર મળ્યા. જે બાદ 8 ટકા ટેક્નિકલ સ્ટાફ અને 3 ટકા અન્ય સ્ટાફમાં રસી બાદ સંક્રમણ મળ્યુ. રસીના બન્ને ડોઝ લીધા બાદ 22 ટકા ડોક્ટર, 24 ટકા નર્સ અને 7 ટકા ટેક્નિકલ સ્ટાફ સંક્રમિત મળ્યા. સ્ટડીમાં 1858 હેલ્થકેર વર્કર સામેલ થયા જેમાંથી . 1639 લોકોને રસી લાગી હતી જ્યારે 210 લોકોને રસી લાગી નહોંતી.