દિલ્હીમાં કોરોના એકવાર ફરી માથું ઉંચકી રહ્યો છે જેના કારણે મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજધાનીમાં શ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે 3-4 કલાકના વેટિંગ મળી રહ્યા છે.
દિલ્હીમાં વકર્યો કોરોના
મોતની સંખ્યામાં થઈ રહ્યો છે સતત વધારો
અંતિમ સંસ્કારમાં પણ 3થી 4 કલાકનું વેટિંગ
નોર્થ દિલ્હી નગર નિગમમા આવનારા નિગમબોધ ઘાટમાં વેટિંગના મામલે મેયરે કહ્યું કે અહીં લાશને બાળવા માટે કુલ 104 પ્લેટફોર્મ છે. લગભગ 50ને કોરોના માટે રિઝર્વ કરાયા છે. કોરોનાથી વધતા મોતને લઈને 16 વુડન પ્લેટફોર્મ પણ લેવાયા છે.
એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું નિવેદન
એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કહેવું છે કે છેલ્લા 3 દિવસથી રોજ 12 મૃતદેહને સ્મશાનઘાટ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં તીરથરામ હોસ્પિટલ, સેંટ સ્ટીફન્સ હોસ્પિટલ, સંત પરમાનંદ હોસ્પિટલથી વધારે કોલ આવે છે.
નિગમબોધ ઘાટના સુપરવાઈઝરે કહ્યું કે મૃતદેહની સંખ્યા જુલાઈમા ઓછી હતી, સપ્ટેમ્બરમાં પણ ઘટી અને ઓક્ટોબરમાં વધી. ઓક્ટોબરમાં અહીં રોજ 10-12 મૃતદેહ આવતા. 1 નવેમ્બરથી આ સંખ્યા વધીને 18થી 20 થઈ છે. અને છેલ્લા 3 દિવસથી આ સંખ્યા 25 ઉપર પહોચી છે. છેલ્લા 9 દિવસમાં અહીં 167 કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરાયા છે.
એક વ્યક્તિએ વેટિંગને લઈને કહી આ વાત
સંદીપ નામના એક વ્યક્તિ નિગમબોધ ઘાટ પર ગુરુવારે સવારે 10 વાગે પહોંચ્યા હતા. અહીં પહેલાંથી જ 5 મૃતદેહ સાથે એમ્બ્યુલન્સ હાજર હતી, સંદીપને બપોરે 3 વાગ્યાનો સમય મળ્યો. એટલે કે લગભગ 5 કલાકનું વેટિંગ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ચાલી રહ્યું છે.
દક્ષિણી નગર નિગમના અંતર્ગત આવનારા પંજાબી બાગ શ્મશાન ઘાટ પર કોરોના દર્દીના અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા છે. અહીં 1થી 18 નવેમ્બર સુધીમાં 338 કોરોના દર્દીના અંતિમ સંસ્કાર થયા છે.