કોરોના સંકટમાં દેશવાસીઓની સુવિધા માટે દિલ્હી સરકારે 'Delhi Corona' નામથી એક એપ લોન્ચ કર્યું છે. આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. એપ જણાવશે કે કઈ હોસ્પિટલમાં કેટલા કોરોના બેડ અને વેન્ટીલેટર ખાલી છે. અહીં જો હોસ્પિટલમાં બેડ ખાલી બતાવે અને હોસ્પિટલ ના પાડે તો તેની પર એક્શન લેવામાં આવશે. દિલ્હી સરકારના આ ખાસ પ્રયોગ પર ગુજરાત સરકારે પણ વિચાર કરવો જોઈએ.
દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર
કેજરીવાલ સરકારે કર્યું 'Delhi Corona' એપ લોન્ચ
એપ જણાવશે કે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ અને વેન્ટિલેટર ખાલી છે
રાજધાનીમાં કઈ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીને માટે કેટલા બેડ, વેન્ટીલેટર ખાલી છે તેની જાણકારી લેવાનું સરળ બનશે. આજે આ એપનું લોન્ચિંગ કરાયું છે. કેજરીવાલે આ લોન્ચ સમયે કહ્યું કે દિલ્હી સરકાર કોરોનાની તૈયારીઓમાં 4 પગલાં આગળ છે.
No. of cases in Delhi are increasing, but there's no need to worry about medical care for #COVID19 patients as we've done sufficient arrangements. If any member of your family tests positive, then they'll get the required medical services: Delhi CM Arvind Kejriwal. pic.twitter.com/9vzmMlAzQ2
દિલ્હી સરકારે 'Delhi Corona' નામથી એપ લોન્ચ કર્યું છે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. એપ જેને ડાઉનલોડ નથી કરવી તે લોડ વેબપેજ delhifightscorona/beds પર જાણકારી લઈ શકે છે. આ સિવાય 1031 પર ફોન કરીને એસએમએસની મદદથી ખાલી બેડ્સનું લિસ્ટ માંગી શકે છે.
Total 302 ventilators are available in Delhi, of which 210 are vacant. All this information will be updated on this app twice a day, 10 am & 6 pm, to give you latest details: Delhi CM pic.twitter.com/ccqrHTu1yK
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે એવી સ્થિતિ પણ આવે કે તમે એપમાં બેડ જોઈને હોસ્પિટલ પહોંચી જાવ અને હોસ્પિટલ બેડ આપવામાં આનાકાની કરે. આ સ્થિતિમાં લોકોને હોસ્પિટલના રીસેપ્શન પર બેસીને જ 1031 પર કોલ કરવાનો રહેશે અને મુશ્કેલી જણાવવાની રહેશે. ફોન સ્પેશ્યલ સેક્રેટરી પાસે કનેક્ટ કરો અને ઓન ધ સ્પોટ બેડ અપાવવામાં આવશે. સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો હોસ્પિટલ સ્ટાફ ચેકઅપ બાદ તમને કહે કે તમારે એડમિટ થવાની જરૂર નથી. તમે ઘરે જ સાજા થઈ શકો છો તો તમારે તેમની વાત માનવી જોઈએ. એડમિટ થવાની જબરદસ્તી ન કરવી જોઈએ.
હાલમાં આટલા દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
કેજરીવાલે કહ્યું કે કોરોનાના 20 હજારમાંથી ફક્ત 2600 દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ છે અને લગભગ 7000ની ઘરે સારવાર ચાલી રહી છે. કેજરીવાલે કહ્યું કે ઘરે સારવારની સ્થિતિમાં સરકારની ટીમ ફોન પર સતત કોન્ટેક્ટમાં રહે છે અને સીરિયસ થાય તો એડમિટ કરાવવામાં મદદ પણ કરે છે.