ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઇ WHOએ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જેનો ઉદ્દેશ બીમારી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમન્વય થાય. WHOએ કહ્યું કે સૌથી મોટી ચિંતા એવા દેશોમાં વાયરસને ફેલાવાથી રોકવાનો છે જે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કમજોર છે.
WHOએ કોરોના વાયરસને લઇ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી
WHO દ્વારા 3 મહિના બાદ સ્થિતિનું આંકલન કરાશે
WHOએ ચીને ઉઠાવેલા પગલાઓની પ્રશંસા કરી
આ સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઇ નથી પરંતુ પ્રયાસ એ છે કે એ દેશની મદદ કરવામાં આવે જે દેશની આરોગ્ય સેવા સારી નથી.
WHOએ કહ્યું કે આપણે એક સાથે મળીને આ વાયરસને ફેલાતો અટકાવવાનો છે. અને આ વાયરસને આપણે એકસાથે મળીને જ રોકી શકીએ છીએ.
આ ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરી કે વ્યાપાર પર જે રોક લગાવામાં આવી છે તેની કોઇ જરૂર નથી.
ચીન પછી કોરોનાવાયરસ હવે 17 દેશોમાં પહોંચી ગયો છે. ભારત, નેપાળ, તિબેટ, કંબોડિયા અને શ્રીલંકામાં એક-એક કેસ સામે આવ્યો છે. એવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ તેને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરાય છે.
જો કે આ અગાઉ WHO દ્વારા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી. બીજી તરફ ચીનમાં આ ખતરનાક વાયરસના કારણે મરનારની સંખ્યા 212 સુધી પહોંચી ગઇ છે.
WHO દ્વારા બધા દેશની સરકારોને સલાહ આપવામાં આવી હતી કે માસ્ક દરેક વ્યક્તિએ પહેરવાની જરૂરિયાત નથી. જો કોઇને શ્વાસોચ્છવાસની તકલીફ હોય તો માસ્ક પહેરવું જોઇએ.