ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. હાલ સુધી દેશમાં કોરોના વાયરસના 60 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. 11 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ કોરોના પીડિત દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના વાયરસને મહામારી જાહેર કરાયો છે જેને પગલે ભારત આવતા વિદેશીઓના વિઝા
15 એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીયોને અન્ય દેશોમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.
વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાલ સુધીમાં 4 હજાર 616 લોકોના ભોગ લેવાયા છે. ગઈકાલે એક જ દિવસમાં વિશ્વમાં 320 લોકોના મોત થયા છે. તો ઈટાલીમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં અહીં 196 લોકોના મોત થયા તો ઈરાન દેશમાં ગઈકાલે 63 લોકોના મોત થયા છે.
કયા દેશમાં કેટલા મોત નીપજ્યા
ફ્રાંસમાં 15, સ્પેનમાં 19, જર્મનીમાં 1 વ્યક્તિનું મોત, અમેરિકામાં વધુ 8 લોકોના મોત થતા કુલ આંક 38 પહોચ્યો હતો. સ્વિત્ઝરલેંડમાં 1, જાપાનમાં 3, નેધરલેંડમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. સ્વિડનમાં 1, યૂકેમાં 2, બેલ્જિયમમાં 3 વ્યક્તિના મોત થયા હતા. લેબનોનમાં 1, ફિલિપીન્સમાં 1, આયરલેંડમાં 1 વ્યક્તિનું મોત, ઈન્ડોનેશિયામાં 1, અલ્બેનિયામાં 1, પનામામાં 1, બલ્ગેરિયામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ભારતમાં પણ વધી રહ્યો છે કોરોનાનો કહેર
ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. આ સમયે દેશમાં 60 કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. કુલ 11 રાજ્યોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. મળતી માહિતિ અનુસાર સૌથી વધુ કેરળમાં કોરોના પીડિત દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે.
સુરક્ષાને લઈને ભારતે લીધું આ પગલું
ભારતે બુધવારે 15 એપ્રિલ સુધીના તમામ ટૂરિસ્ટ વિઝા સ્થગિત કર્યા છે. આ સંદર્ભે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન મુજબ, સરકારે દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આ પગલું ભર્યું છે. નિવેદન મુજબ આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં ગ્રુપ ઓફ મંત્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 13 માર્ચ 2020ના બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે. આ સાથે જ ઓસીઆઈ કાર્ડ ધારકોને વિઝા મુક્ત મુસાફરીની સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
Air India: Flights to Italy and Korea are cancelled till March 28 and March 25 respectively. #CoronaVirus