ચીનથી શરુ થયેલા આ કરોના વાયરસની ઝપેટમાં 29થી વધારે દેશ આવી ચૂક્યાં છે. આ કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1525 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. એટલું જ નહી કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ 67,079 પહોંચી ગયો છે. જેમાં સૌથી મ66,484 લોકો તો માત્ર ચીનના જ છે. તેમજ જાપાનના કિનારે રહેલા ડાયમંડ પ્રિન્સેસની તો અહીં પણ કોરોનાગ્રસ્તનો આ આંક વધી રહ્યો છે. જેમાં તેનો ચાલક બિનોય પણ ઝપેટમાં આવ્યો છે. તેણે ભારત સરકાર પાસે મદદ માંગતા સરકારે કોરોનાગ્રસ્ત બિનોયને ભારત લાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જાણો તે ક્યાંરે આવશે.
પશ્ચિમ બંગાળના બિનોય કુમારને 20 ફેબ્રુઆરી સુધી પરત લવાઈ શકે છે
બિનોય કુમારે વીડીયો બનાવીને સરકાર પાસે મદદની માગ કરી હતી
જાપાનના કિનારાથી થોડે દુર ડાયમંડ પ્રિંસેસમાં વધુ એક ભારતીય કોરોનાની ઝપટમાં આવ્યો છે. આની સાથે અસરગ્રસ્ત ભારતીયોની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. જાપાનમાં ભારતીય દુતાવાસે શુક્રવારે જણાવ્યું છે કે જહાજમાં સવાર ભારતીય ક્રુનાં ત્રીજા સભ્યનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધીમાં જહાજ પર 218 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ જહાજ પર 132 સભ્યોની સાથે મળીને 138 ભારતીય સવાર છે.
વિદેશ મંત્રાલયે પણ જાપાની સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે
જાપાનના કિનારા પર કોરોના ગ્રસ્ત ભારતીયોના મુદ્દે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જહાજના ચાલક પ. બંગાળના બિનોય કુમાર કોરોના ગ્રસ્ત છે. તેમણે વીડિયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માંગી હતી. જેને પગલે મમતા બેનર્જીએ જાપાનના દુતાવાસનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ વિદેશ મંત્રાલયે પણ જાપાની સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે.
20 ફેબ્રુઆરી સુધીમાં ભારત પરત લવાશે
આ બિનોયને 20 ફેબ્રુઆરી સુધીમાં ભારત પરત લવાશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કેરળના કોરોનાનાં 3 કેસ નોંધાયા છે. ત્યારે આ જહજમાં પણ 3 ભારતીયો કોરોના ગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.