ચીનમાં કોરોના વાયરસના કારણે મરનારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીન સરકાર દ્વારા તાજા જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના કારણે 493 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 24,597 લોકો તેની ઝપેટમાં આવ્યાં છે. જાણો શુ સ્થિતિ છે.
1300 બેડ વાળી વધુ એક હોસ્પિટલ તૈયાર
જાપાનમાં ક્રુઝમાં 10 લોકોને કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે
અમેરિકા દવા બનાવતી કંપની સાથે મળી કોરોનાની દવા શોધી રહ્યું છે
ચીનનાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું હતું કે મંગળવારે 65 લોકોના જીવ ગયા છે અને તે તમામ હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાંથી હતાં. આયોગે જણાવ્યું હતું કે મંગળવારે 3,887 નવા કેસ નોંધાયા હતા. 431 દર્દીની હાલત ગંભીર છે. ત્યારે 262ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આયોગે જણાવ્યું છે કે 3219 લોકોની હાલત ગંભીર બની ગઈ છે અને 23, 260 લોકોને કોરાના વાયરસની ઝપેટમાં હોવાની શંકા છે. મંગળવાર સુધીમાં હોંગકોંગમાં 18 કેસની ખરાઈ થઈ ચુકી છે. એક વ્યક્તિની મોત પણ થઈ ચુકી છે.
1300 બેડ વાળી વધુ એક હોસ્પિટલ તૈયાર
આ વાયરસને ફેલાકા રોકવા માટે વુહાનમાં બુધવારે એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યાનુંસારા આ હોસ્પિટલ 1300 બેડવાળી હશે. આ પહેલા ચીનનો રેકોર્ડ 9 દિવસમાં 1 હજાર બેડ ધરાવતી હોસ્પિટલ શરુ કરવાનો રહી ચુક્યો છે.
જાપાનમાં ક્રુઝમાં 10 લોકોને કોરોના વાયરસથી ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
જાપાનમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ક્રુઝનાં પ્રવાસીઓને અલગ રાખવામાં આવે છે. જેમાં ઓછોમાં ઓછા 10 લોકો આ વાયરસની અસર હેઠળ જોવા મળ્યા હતાં. જાપાનના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ડાયમંડ પ્રિંસેજ ક્રુઝ પર સવાર 273 લોકોના નમુનાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 31 નમુનાનો રિપોર્ટ આવી ગયો છે. જેમાંથી 10 વાયરસની અસર હેઠળ હતાં. આ ઉપરાંત અન્ય તમામ પ્રવાસીઓ 14 દિવસ સુધી ક્રુઝ પર રહેશે. તેમની ત્યાં સારવાર થાય ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. જાપાનમાં આ 10 ઉપરાંત 23 કોરોનાનાં કેસ નોંધાયા છે.
જાપાને સોમવારે યોકાહામા બે પહોંચેલા આ ક્રુઝમાં સવાર 3,711 પ્રવાસીઓને અલગ રાખવાની વ્યવસ્થા કરી છે. ઉલ્લેખનીય છે કે 80 વર્ષનાં વૃદ્ધને વાયરસ ગ્રસ્ત જોઈને જાપાને આ નિર્ણય લીધો છે.
સારવાર માટે અમેરિકા દવા બનાવતી કંપની સાથે કામ કરી રહ્યું છે
નોવેલ કોરોના વાયરસની સારવાર માટે અમેરિકા દવા બનાવનારી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. સ્વાસ્થ્ય તથા માનવ સેવા વિભાગ(એચએચએસ) તથા દવા દંપની રિજેનેરોનની વચ્ચે ભાગીદારીથી આ વાયરસની અસર સામે લડવા મોનોક્લોનલ પ્રતિરક્ષક દવા વિકસાવવામં આવશે.
બ્રાઝિલ વુહાનમાં ફસાયેલા પોતાના વિદ્યાર્થીઓેને બચાવશે
વુહાન શહેરમાં ફસાયેલા પોતાના નાગરિકોને બ્રાઝિલ બે વિમાનનાં માધ્યમથી બચાવશે. બ્રાઝિલ મંગળવારે કહ્યું હતું કે કુટનીતિક બજેટ સંબંધી અને કાયદાકીય અડચણો વચ્ચે ચીનનાં શહેરોમાં ફસાયેલા 40 બ્રાઝિલનાં નાગરિકોને બહાર કાઢશે. અમેરિકા, ફ્રાંસ , જર્મની, જાપાન અને અન્ય દેશોએ પોતાના નાગરિકોને ચીનમાંથી બહાર કાઢ્યા હતાં.