કોરોના મામલે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં હવે મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના મામલે ભારતમાં મૃત્યુદર ઘટીને 1.93 ટકા પર પહોંચી ગયો છે. 72 ટકા સંક્રમિતો પણ સ્વસ્થ થઈ ગયા છે.
દેશમાં મૃત્યુદરમાં થઈ રહ્યો છે સતત ઘટાડો
મૃત્યુદર ઘટીને 1.93 ટકા પર પહોંચ્યો
દેશમાં કુલ કેસના 72 ટકા સંક્રમિત સ્વસ્થ થયા
ભારત એ દેશોમાંથી એક છે જ્યાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યામાં સૌથી ઓછી છે. દેશમાં કોરોનાના કુલ 26.47 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 19.18 લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં 51 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે હજુ પણ 6.77 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર એક્ટિવ કેસની યાદીમાં પણ ટોપ પર છે. મહારાષ્ટ્રમાં 1.58 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
ભારતમાં કુલ 19 લાખ 18 હજારથી વધુ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં 5.95 લાખથી વધુ કેસ છે તો તમિલનાડુ 3.38 લાખથી વધુ કેસ છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 2.89 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 2.26 લાખથી વધુ કેસ છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 1.54 લાખથી વધુ કેસ નોંધાયા છે. જો કે દેશ માટે સૌથી સારી વાતએ છે કે કોરોનાનો મૃત્યદર ઓછો છે.
વિશ્વમાં કોરોના વાયરસના કેસ 2 કરોડ 18 લાખથી વધુ છે. કોરોના વાયરસથી 1.45 કરોડથી વધુ લોકો સાજા થયા છે. વિશ્વમાં એક્ટિવ કેસની સંખ્યા 64.92 લાખથી વધુ કેસ છે. વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.12 લાખ નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં 58 હજારથી વધુ, રશિયામાં 4969 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 36843, બ્રાઝિલમાં 22365 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોલંબિયામાં 11643, મેક્સિકોમાં 6345 નવા કેસ, તો આર્જેન્ટિનામાં 5469, UKમાં 1040 નવા કેસ આવ્યા છે. તેમજ અમેરિકામાં કુલ કેસ 55.66 લાખથી વધુ છે. તો બ્રાઝિલમાં 33.40 લાખથી વધુ કેસ નોંધાયા છે. રશિયામાં 9.22 લાખથી વધુ કેસનો આંક નોંધાયો છે. જ્યારે સાઉથ આફ્રિકામાં 5.87 લાખથી વધુ કેસ સામે લડી રહ્યું છે.