વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જાન્યુઆરીમાં પહેલીવાર કોરોનાની જાણ થયા બાદ વિશ્વભરમાં સંક્રમણથી 9 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી અત્યારસુધીમાં 1 લાખ 90 હજાર, બ્રાઝિલમાં 1.27 લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત અને મોતનો આંક હવે સૌથી વધારે ભારતમાં વધી રહ્યો છે. અહીં કુલ 73 હજાર 890 લોકોના મોત થયા છે અને અત્યારે 43 લાખ 70 હજાર લોકો પોઝિટિવ છે. એટલે કે કુલ કેસના 43 ટકાથી વધુ મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થયા છે.
વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક પહોંચ્યો 9 લાખને પાર
43 ટકાથી વધુ મોત આ 3 દેશોમાં
અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં સૌથી વધુ મોત
રાષ્ટ્રિય રાજધાનીમાં બુધવારે કોરોના સંક્રમણના 4039 નવા કેસ સામે આવ્યા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ આવ્યા છે. આ સાથે રાષ્ટ્રિય રાજધાનીમાં સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખથી વધી ચૂકી છે જ્યારે મૃતકોની સંખ્યા 4638 પહોંચી છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં 4000થી વધુ કેસ નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં 20 લોકોન મોત પણ થયા છે.
દેશમાં આવી છે સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11.54 લાખથી વધારે કેસની તપાસ થઈ છે. અત્યાર સુધી થયેલા ટેસ્ટિંગની સંખ્યા 5.18 કરોડથી વધી છે. આ સમયે 75 હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં સાજા થનારાની કુલ સંથ્યા 33,98,844 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 89,706 નવા કેસ આવતાં કુલ સંક્રમિત આંક વધીને 43,70,128 થયો છે. 1115 દર્દીના મોતની સાથે કુલ મૃત્યુઆંક 73,890 થયો છે.
વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો વધ્યો
વિશ્વમાં કોરોનાના એક જ દિવસમાં 2 લાખ 86 હજાર કેસ
વિશ્વમાં કોરોનાના કારણે એક દિવસમાં 6 હજાર 227 મૃત્યુ નોંધાયા
વિશ્વમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા
કોરોનાના કેસમાં ભારતે તોડ્યો વિશ્વનો રેકોર્ડ
ભારતમાં એક જ દિવસમાં નોંધાયા 95 હજાર 529 કેસ
અત્યાર સુધી વિશ્વના એક પણ દેશમાં નથી નોંધાયા આટલા કેસ
ભારતમાં એક દિવસમાં 1 હજાર 168 લોકોના મૃત્યુ
દેશમાં કોરોનાના કારણે કુલ 75 હજાર 91 લોકોના મૃત્યુ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 23 હજાર 577 કેસ નોંધાયા