લોકડાઉનને વધારવાના પીએમ મોદીની જાહેરાતની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પોલિટીકલ રિએક્શન આપ્યું છે. ચિદમ્બરમે ટ્વીટ કરી રહ્યુ કે, ‘ગરીબોને 21+19 =40 દિવસ માટે પોતાની વ્યવસ્થા જાતે કરવા માટે છોડી દિધા છે. પૈસા છે, ભોજન છે પણ સરકાર આપશે નહીં. રડ મારા પ્રિય દેશ.’ તો બીજી તરફ અધીર રંજન ચૌધરી તથા અભિષેક મનુ સંઘવીએ આર્થિક પેકેજ કેમ જાહેર ન કર્યુ જેવા સવાલો ઉઠાવ્યા છે.
ચિદમ્બરમે કહ્યું સરકાર પાસે પૈસા અને ભોજન છે પણ નહીં આપે
અધીર રંજને કહ્યું કે ગરીબ અને પછાત લોકોનો વિચાર કરવો જોઈતો હતો
અભિષેક સંઘવીએ કહ્યું આર્થિક પેકેજ કેમ જાહેર નથી કરતા
કોરોના વાયરસના પડકારની વચ્ચે પીએમ મોદીઓ દેશનું લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે. પીએમએ રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં એમ પણ કહ્યું છે કે જે રાજ્યો પોતાના વિસ્તારને હોટસ્પોર્ટ નહીં બનવા દે તેમને 20 એપ્રિલથી જરુરી કામ માટેની છુટછાટ આપશે. તેમજ સરકાર કાલે (બુધવારે) આ માટેની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે 20 એપ્રિલની છુટછાટ પણ ગરીબોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
પીએમની આ જાહેરાત બાદ પી ચિદમ્બરમે પોલિટિકલ રિએક્શન આપતી ટ્વીટ કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે ‘ગરીબોને 21+19 =40 દિવસ માટે પોતાની વ્યવસ્થા જાતે કરવા માટે છોડી દિધા છે. પૈસા છે, ભોજન છે પણ સરકાર આપશે નહીં. રડો મારા પ્રિય દેશ.’
We reciprocate the PM’s New Year greetings. We understand the compulsion for extending the lockdown. We support the decision
વધુ એક ટ્વીટમાં ચિદમ્બરમે કહ્યુ છે કે, ‘મુખ્યમંત્રીઓની ધનરાશિની માંગણી પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. 25 માર્ચના પેકેજમાં એક રુપિયો પણ જોડ્યો નથી. રઘુરામ રાજન પાસેથી જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધીની સલાહો પર ધ્યાન આપવામાં નથી આવ્યુ. જોકે તેમણે કેન્દ્રના લોકડાઉન વધારવાના નિર્ણયનું સમર્થન કર્યુ છે.
But beyond the lockdown, what was ‘new’ in PM’s new year message?
It is obvious that livelihood for the poor — their survival — is not among the priorities of the government.
ઉલ્લેખનીય છે કે પીએમના રાષ્ટ્ર જોગ સંબોધનમાં પીએમે કહ્યું હતુ કે ભારતની લડાઈ કોરોનાની વિરુદ્ધ ભારતમાં મજબૂતાઈની સાથે આગળ વધી રહી છે. તમામ દેશ વાસીઓના ત્યાગ અને તપસ્યાને લીધે ભારત કોરોનાથી થનારા નુકસાનને ઘણા અંશે ઓછું કરવામાં સફળ રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે , ‘લોકડાઉન વધારવું જરુરી હતી. દેશને બચાવવું સૌથી જરુરી છે.’તેમણે એમ પણ કહ્યું કે પીએમએ ગરીબ અને પછાત લોકો વિશે વિચારવુ જોઈતું હતું. નાના ઉદ્યોગોની રાહત આપવી જોઈતી હતી. ઉદ્યોગપતિઓની માંગણી છે કે તેમને આર્થિક પેકેજની જાહેરાત થાય. સરકાર આર્થિક પેકેજ જાહેર કરવામાં વાર કેમ કરી રહી છે.
#Pm address wo single specific and wo guidelines is like #Hamlet wo #Prince of #Denmark. Like #PM wo details! We want increased #GDP allocation; specific targeted monetary injections; #Keynesian spending; loosen #FMRB etc. not a single word!
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ પણ લોકડાઉનને સમર્થન આપી આર્થિક પેકેજનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે પીએમનું ભાષણ પ્રેરણા આપનારુ હતું પણ કોઈ આર્થિક પેકેજનું એલાન નહીં. કોઈ મજબૂત જાણકારી નહી. ન તો ગરીબ અને મિડલ ક્લાસ તથા વ્યવસાયીઓ માટે કોઈ જાહેરાત. લોકડાઉન યોગ્ય છે પણ લોકોની જીવનનું શું’