આજે બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી વચ્ચે મહત્વની બેઠક થનારી છે. આ બેઠકમાં કોરોનાના બીજા રાહત પેકેજને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં પીએમ મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાથે નાણાં મંત્રાલયના મોટા અધિકારીઓ પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 1.7 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું અને તેમાં ખાસ કરીને ગરીબો અને મજૂરોને કેન્દ્રિત કરવામાં આવ્યા હતા.
આજે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી વચ્ચે મહત્વની બેઠક
રાહત પેકેજની લઈને બેઠકમાં થઈ શકે છે ચર્ચા
બપોરે બાર વાગ્યે પ્રધાનમંત્રી અને નાણામંત્રી વચ્ચે બેઠક
કોરોનાના સતત વધી રહેલા ચેપને કારણે લૉકડાઉન ચાલુ છે અને અર્થતંત્ર સતત બગડતું રહે છે. આવી સ્થિતિમાં ઉદ્યોગ જગત સતત બીજા રાહત પેકેજની માંગ કરી રહ્યું છે. પ્રથમ રાહત પેકેજમાં સરકારે 1.7 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ સમયે ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગરીબોને અનાજ અને ડાયરેક્ટ કેસ ટ્રાન્સફર કરીને મદદ આપી હતી. સાથે જ એમ્પલોયમેન્ટ ગેરેંટી પ્રોગ્રામના આધારે મજૂરી વધારવાનો નિર્ણય પણ લીધો હતો. નાણાંમંત્રાલય અને વડા પ્રધાન કાર્યાલયના કેટલાક અધિકારીઓ પણ આજે યોજાનારી આ બેઠકમાં ભાગ લઈ શકે છે.
થઈ શકે છે અન્ય રાહત પેકેજની જાહેરાત
આજની બેઠક બાદ સરકાર રાહત પેકેજની ઘોષણા કરી શકે છે. આ રાહત પેકેજ આજે અથવા આગામી એક કે બે દિવસમાં બહાર પાડવામાં આવશે. આ રાહત પેકેજનું કેન્દ્ર ધ્યાન ગરીબ લોકો અને સમાજના નીચલા વર્ગના લોકો, માઇક્રો અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ (એમએસએમઇ) અને તે ક્ષેત્રમાં હશે કે જેઓ લૉકડાઉનને કારણે સૌથી વધુ મુશ્કેલી સહન કરી રહ્યા છે.
સરકાર મનરેગા મજૂરો માટે લઈ શકે છે આ નિર્ણય
છૂટ હેઠળ સરકાર એમએસએમઇને આપવાની તૈયારી કરી રહી છે, તેમને સરળ લોન આપી શકાય છે. તેમજ ગરીબોને આ વખતે પણ ભંડોળ અને અનાજ આપી શકાય છે. મળતી માહિતી અનુસાર સરકાર મનરેગા હેઠળ મજૂરોની વેતન વધારવાનો નિર્ણય પણ લઈ શકે છે.
આ વિસ્તારોમાં રોજગારી માટે સરકાર આપી શકે છે છૂટ
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઊભી કરવા લૉકડાઉન દરમિયાન ગ્રામીણ સડક નિર્માણ શરૂ કરી શકાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં કોરોનાવાયરસનો ચેપ ફેલાયો નથી ત્યાં સરકાર આ કામ શરૂ કરી શકે છે. સરકારે પહેલેથી જ માર્ગદર્શિકા બહાર પાડીને ખેતી સાથે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે.