કોરોના ગ્રસ્તની સંખ્યા 219 થઈ ગઈ છે. જેમાંથી 20 લોકો સાજા થઈ ગયા છે. શુક્રવારે લખનૌમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે લખનૌમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. લખનૌના કેજીએમયૂ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ભારતના 20 રાજ્યોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં છે.
લખનૌમાં 4 નવા કેસ સામે આવ્યા,
KGMUમાં કોરોનાના દર્દીની સારવાર થઈ રહી છે
કોરોનાના ભારતમાં 219 કેસ સામે આવ્યા છે
જો રાજ્યમાં કોરોના વાયરસના કયા રાજ્યમાં કેટલા કેસ
આંધ્ર પ્રદેશમાં 2 ,ચંદીગઢમાં 2, દિલ્હીમાં 20, ગુજરાતમાં 5, હરિયાણામાં 17, કર્ણાટકમાં 16, કેરળમાં 28, મહારાષ્ટ્રમાં 52, પંજાબમાં 3, રાજસ્થાનમાં 7, તમિલનાડુમાં 3, તેલંગાણામાં 16, જમ્મુ-કાશ્મીરમાં 4, લદ્દાખમાં 10, ઉત્તર પ્રદેશમાં 23, ઉત્તરાખંડમાં 1, ઓડિશામાં 2 , પ. બંગાળમાં 1, પોન્ડિચેરીમાં 1 અને છત્તીસગઢમાં 1 દર્દી સામે આવ્યો છે.
અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા છે
કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા છે. પહેલું મોત કર્ણાટકમાં કલબુર્ગીમાં થઈ છે. તે બાદ બીજુ મોત દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થઈ છે. ત્રીજુ મોત મુંબઈ કસ્તુરબા હોસ્પિટલમાં થઈ છે. ત્યારે ચોથુ મોત ગુરુવારે પંજાબમાં થઈ છે. મરનારા તમામ લોકોની ઉંમર 60 વર્ષથી વધારે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ એકનુ મોત થયું હતુ. જેમાં ડૉ.એ કહ્યું હતું તેમનું મોત હાર્ટ અટેકથી થઈ છે. કોરોના વાયરસમાંથી સાજા થઈ ગયા હતા.
લખનૌમાં 9 લોકોની સારવાર ચાલી રહી છે
લખનૌમાં કેજીએમયૂમાં કોરોનાના 9 દર્દીની સારવાર ચાલી રહી છે. જો જિલ્લા પ્રમાણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા જોઈએ તો 8 લોકો લખનૌના છે. એક દર્દી લખીમપુર ખીરીનો છે. આ સમયે કેજીએમયૂમાં કુલ 9 કોરોના પોઝિટિવ દર્દીની ભર્તી કરવામાં આવી છે. જે યૂરોપથી પાછો ફર્યો હતો. એક પરિવારના 3 લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2 મહિલાઓ, 20 અને 28 વર્ષના છે. જેમાં પુરુષો 35 અને 37 વર્ષના છે.