ચીનથી શરુ થયેલો આ કોરોના વાયરસ 29 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 1775લોકોના મોત થઈ ચુક્યાં છે. જ્યારે કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ તે 71331 થઈ ચુકી છે. ત્યારે ભારતવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારતમાં નોંધાયેલા 3 કોરોના વાયરસ કેસમાં સફળતા મળી છે.
કોરોના વાયરસના ત્રીજા દર્દીને અપાઈ રજા
અગાઉ 2 દર્દીને પણ અપાઈ હતી રજા
હવે દેશમાં એક પણ કોરોના વાયરસ સંક્રમિત દર્દી નથી
દેશમાં એક પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી
કોરોના વાયરસે ચીનમાં ભલે હાહાકાર મચાવ્યો હોય પરંતુ ભારત માટે સારા સમાચાર છે. ભારતમાં હવે કોરોના વાયરસનો એક પણ સંક્રમિત દર્દી બચ્યો નથી. વાત છે કેરળની કે જયાં કોરોના વાયરસના ત્રીજા દર્દીને પણ રજા આપી દેવાઈ છે. આ પહેલા કોરોના વાયરસના 2 દર્દીને રજા મળી ચૂકી હતી. આ સાથે જ હવે દેશમાં એક પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી.
રવિવારે 142 લોકોના મોત નિપજ્યા હતાં
કોરોના ગ્રસ્ત એક દર્દીની સારવાર કેરળના કસારગોડના કંઝનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યારે બીજા વિદ્યાર્થીની સારવાર અલપ્પુઝા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ચાલી રહી હતી. બન્નેના સ્વાસ્થ્યમાં સુધારો જોઈ તેમને રજા આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચીનમાં રવિવારે 142 લોકોના મોત નિપજ્યા હતાં.
ભારત ચીનને મેડિકલ સામાનની મદદ કરશે
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ રવિવારે ટ્વીટર પર લખ્યું હકું કે , ‘ભારત મેડિકલ સામાન મોકશે અને ચીનને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. આજ સમય છે કે ચીનના લોકો સાથે ભારત અને અહીંના લોકોની એક્તા, દોસ્તી અને સદભાવનાને પ્રદર્શિત કરવાનો. બીજી તરફ WHOનાં ડિરેક્ટર જનરલે ટેદ્રાસ અદહાનોમ ધેબ્રેસસે કોરોના વાયરસ સામે લડવાના ચીનના પ્રયત્નોના વખાણ કર્યાં છે.