કોરોના વાયરસ આખી દુનિયામાં ધીરે-ધીરે ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક કેસ નવી દિલ્હીમાં જોવા મળ્યો છે. જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. હાલ બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર બંનેની હાલત સ્થિર છે.
ભારતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા
કોરોના વાયરસનો એક કેસ નવી દિલ્હીમાં જોવા મળ્યો
વિશ્વના 69 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે
ચીનમાં કોરોના (Covid-19) નો કહેર જારી છે. કોરોના વાયરસના વધુ બે કેસ ભારતમાં સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઇ છે. તેલંગાણામાં પણ કોરોના વાયરનો કેસ સામે આવ્યો છે.
વિશ્વના 69 દેશોમાં કોરોના વાયરસ પહોંચી ચૂક્યો છે. જ્યારે ચીનમાં આજે પણ કોરોના વાયરસથી વધુ 42 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ઇરાનમાં આજે વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમેરિકામાં પણ આજે કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. એટલે વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 3 હજાર 58 લોકોના મોત થઇ ચૂક્યા છે.
બંને હાલમાં જ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા છે
દિલ્હીમાં જે વ્યક્તિમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે હાલમાં જ ઇટલીનો પ્રવાસ કરી આવ્યો હતો. જ્યારે તેલંગાણામાં કોરોના પોઝિટિવ વ્યક્તિ દુબઇની યાત્રા કરીને આવી હતી. દુનિયાના ઘણા દેશોમાં કોરોના પીડિતોના મોત થયા છે. ઇટલીમાં કોરોના વાયરસથી 29 લોકોના મોત થઇ ચૂક્યા છે.