દેશમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની વિરુદ્ધની લડત ડૉક્ટર અને નર્સ સીધા લડી રહ્યા છે. ત્યારે દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોવિડ-19નાં દર્દીના સંપર્કમાં આવનાર ડૉક્ટર અને નર્સ કેટલાક દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા હોસ્પિટલના ડોક્ટર- નર્સ
દિલ્હીમાં એક જ દિવસમાં સામે આવ્યા દિલ્હીમાં 23 નવા કોરોનાના દર્દી
દર્દીઓનો ફરીથી ટેસ્ટ કરતા કેટલાક પોઝિટિવ નીકળ્યા
રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક ઉચ્ચ ડોક્ટરો અને નર્સોને પ્રોટોકોલના આધારે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફરજ પર હાજર સ્ટાફને સેલ્ફ ક્વોરન્ટાઈન માટે કહેવામાં આવી રહ્યું છે.
મેડિકલ ઓફિસે જણાવ્યું કે આરએમએલ હોસ્પિટલમાં એક સાથે શંકાસ્પદ દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા આ કોરોના વાયરસે શંકાસ્પદ દર્દીઓને વોર્ડ નં-1માં દાખલ કરવામાં આવ્યા છે. જોકે કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. એ બાદ દર્દી નં-6માં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર્દીઓનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે દર્દી કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. જેના કારણે દર્દીને ફરીથી વોર્ડ 11માં મોકલવામાં આવ્યા છેય ઉલ્લેખનીય છે કે જ્યારથી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓ સામે આવવાની શરુઆત થઈ ગઈ છે ત્યારથી તેમની સારવાર આરએમએલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીમાં વધારો થઈ રહ્યો છે. 29 માર્ચ સુધીમાં અહી કોરોના વાયરસના 23 નવા દર્દી સામે આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના 72 દર્દીઓ થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં27 લોકોના મોત નિપજ્યા છે.