રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે લૉકડાઉન કરવું સરળ છે, પરંતુ એમાંથી બહાર નિકળવું મુશ્કેલ. આ દરમિયાન એમને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોરોના વિરુદ્ધ લડવામાં આવી રહેલી જંગમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય કન્ફ્યૂઝન પેદા કરી રહ્યું છે, જેના કારણે રાજ્યોને સમસ્યા આવી રહી છે.
ગહેલોતે કહ્યું- લૉકડાઉન કરવું સરળ છે, પરંતુ ખોલવું મુશ્કેલ
કોરોના મામલે ગૃહમંત્રાલય લેખિતની જગ્યાએ મૌખિક આદેશ આપી રહ્યું છે
ગહેલોતે કહ્યું કે કેન્દ્રીય ગૃહસચિવ જ્યારે પણ રાજ્યો સાથે વાત કરે છે તો મૌખિર તરીકે આદેશ આપે છે, જેના કારણે રાજ્યોને સમસ્યા થાય છે. મજૂરોને છોડવા માટે બસ ચલાવવાનો મામલો હોય કે અથવા કોટાથી વિદ્યાર્થીઓને કોટાથી લઇ જવાનો, આવું જોવા મળ્યું છે. ગહેલોતે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજસ્થાન સરકારને કહ્યું કે મજૂરોને ઉત્તર પ્રદેશ જવા દેવામાં આવે, ત્યારબાદ અમે ઉત્તર પ્રદેશના ગૃહસચિવ સાથે વાત કરી પરંતુ એમને કહ્યું કે અમને લેખિત આદેશ મળ્યો નથી, ત્યારબાદ બસો અટકી ગઇ, કોટાના વિદ્યાર્થીઓને છોડવાના મામલામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મૌખિક તરીકે આદેશ આપ્યો. આ કારણથી રાજ્યોમાં કન્ફ્યબઝન પેદા થઇ રહ્યું છે.
રાજસ્થાનના સીએમએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રાલયની તમામ ગાઇડલાઇન્સ મૌખિત રીતે આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્રીય ગૃહમંત્રીથી કહેવા ઇચ્છું છું કૃપા કરીને તમે લિખિતમાં ગાઇડલાઇનમાં જારી કરવાઓ, પોતાના અનુભવમાં પહેલી વખત જોઇ રહ્યો છું કે ગૃહમંત્રાલય મૌખિક તરીકે આદેશ આપી રહ્યા છે, પરંતુ લિખિતમાં આદેશ આપી રહ્યું નથી. ગૃહમંત્રાલય કોઇ ક્રાઇમ કરી રહ્યું છે તો લિખિતમાં આદેશ આપી રહ્યો નથી. બસો જશે, ટ્રેનો ચાલશે અથવા કોઇ પણ આદેશ લિખિત નહીં અને સેન્ટ્રલાઇઝ તરીકે હોવું જોઇએ.
અશોક ગહેલોતે કહ્યું કે પ્રધાનમંત્રીની સાથે પણ જ્યારે અમારી વાત થઇ હતી ત્યારે અમે કહ્યું હતું કે મેડિકલ ઇક્વિપમેન્ટનું કામ સેન્ટ્રલાઇઝ થવું જોઇએ અને તત્કાલીનમાં મળનારી સુવિધાઓની છૂટ પણ સેન્ટ્રલાઇઝ થવી જોઇએ. એનાથી રાજ્ય સમાનરૂપથી મેડિકલ ઇક્વિપમેન્ટ પ્રાપ્ત કરી શકશો અને કોઇને ચીન અને કોરિયા જઇને ખરીદવા માટે પ્રતિયોગિતા કરવી પડશે નહીં
લૉકડાઉન ખોલવાના સવાલ પર રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કહ્યું કે લૉકડાઉન લગાવવું સરળ છે, પરંતુ ખોલવું મુશ્કેલ છે. દેશમાં લૉકડાઉન ફેઝ વાઇઝ અને ધીરે ધીરે ખોલવું પડશે. આ સંબંધમાં પીએમની સાથે હવે જ્યારે 27 એપ્રિલે વાત થશે તો ત્યાં હું મારી વાત કહીશ. આ ઉપરાંત એમને આવાસીય વિસ્તારમાં દુકાનો ખોલવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગહેલોતે કહ્યું કે લોકો ખૂબ સમજદાર છે અને સામાજિક દૂરી બનાવીને રાખી રહ્યા છે. આ ઉપરાંત અમે તમામ માટે માસ્ક લગાવવું ફરજીયાત કરી દીધું છે, જેનાથી નવો માહોલ પેદા થઇ રહ્યો છે.
ગહેલોતે કહ્યું કે કેન્દ્રના સહયોગ વગર રાજ્ય કામ કરી શકે નહીં, દેશમાં દરેક રાજ્યની ભૌગોલિક સ્થિતિ અલગ છે. અહીંયા પ્રશ્ન કેન્ગ્રનો આદેશ માનવાનો નથી અહીંયા સવાલ લોકોનો જીવ બચાવવાનો છે.