દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ વધી રહી છે. દેશમાં આ વાયરસના અત્યાર સુધીમાં 1100થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન કોંગ્રેસ તરફથી ભારત સરકારને કેટલાક ઉપાય સૂચવ્યા છે. રાહુલ ગાંધીના આ ઉપાય કોંગ્રેસે પોતાના ટ્વિટર પર શૅર કર્યા છે.
દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ વધી રહી છે
દેશમાં અત્યાર સુધીમાં લગભગ 25 હજાર કોરોના વાયરસના ટેસ્ટ થયા છે
આ સાથે જ રાહુલ ગાંધીએ કોરોનાના ટેસ્ટને વધારવા કહ્યું છે. કેમકે અત્યાર સુધીમાં દેશમાં ઘણા ઓછા કોરોનાના ટેસ્ટ થઇ શક્યા છે. નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ટેસ્ટ માટે લગભગ 100થી વધારે સરકારી લેબ કામ કરી રહી છે. જોકે હજુ તમામ લેબ યોગ્ય રીતે ચાલી રહી નથી. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 25 હજાર ટેસ્ટ થયા છે.
કોંગ્રેસ પાર્ટીની તરફથી સોમવારે ટ્વિટર પર લખવામાં આવ્યું, કોરોના વાયરસ (Coronavirus) મહામારી ગંભીર સ્થિતિમાં પહોંચી ચૂકી છે. પરંતુ તેનાથી ડરવાની જગ્યાએ સમજદારીથી કામ લેવાની જરૂર છે. સરકારે રણનીતિ બનાવીને તેનાથી લડવાની જરૂર છે. આ ટ્વિટ સાથે કેટલાક ઉપાયો પણ સૂચવ્યા છે.
कोरोना महामारी गंभीर स्थिति में पहुँच चुकी है। लेकिन, इससे भयभीत होने के बजाय समझदारी से काम लेने की आवश्यकता है। सरकार को रणनीतिक स्तर पर इससे निपटने की जरूरत है। pic.twitter.com/3qKnbOW6l9
સામાજિક સુરક્ષા મજબૂત કરવામાં આવે, દરેક સાર્વજનિક સંસાધનનો ઉપયોગ કરવો
કામકાજી ગરીબોને મદદ અને આશરો આપવો
બેડ અને વેન્ટિલેટરથી સુસજ્જ, હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવે
આવશ્યક ઉપકરણોનું નિર્માણ કરાય
વાસ્તવિક સ્થિતિને જાણવા માટે તપાસ (કોરોના વાયરસનો ટેસ્ટ) વધારવામાં આવે
નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કોરોના વાયરસનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેઓએ આપેલા પીએમ મોદીને કોરોના વાયરસની મહામારીને લઇને પત્ર લખ્યો હતો અને વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસના તમામ કાર્યકર્તા કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં સરકારની સાથે છે. રાહુલ ગાંધીએ સરકારને કેટલાય ઉપાય સૂચવ્યા હતા.