આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અર્થવ્યવસ્થાને લઈ નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે સવારે 9 વાગ્યે સોશ્યલ મીડિયાની મદદથી ચર્ચા કરશે. દેશમાં કોરોનાની મહામારી કારણે ભાગી પડેલી અર્થવ્યવસ્થાને ફરી કેવી રીતે પાટે ચઢાવવી તે માટેના ઉપાય અંગે અભિજીત બેનર્જી પાસેથી સુચનો મેળવશે. આ સમગ્ર આયોજન અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી માહિતી આપી છે.
રાહુલ ગાંધી-અભિજીત બેનર્જી વચ્ચે ચર્ચા
કોરોના મહામારી વચ્ચે આર્થિક સ્થિતિ અંગે કરશે ચર્ચા
સોશ્યલ મીડિયાના માધ્યમથી થશે ચર્ચા
Sh. @RahulGandhi in conversation with Nobel Laureate, Prof. Abhijit Banerjee discussing the critical issues of COVID-19 & its economic impact.
Please tune in tomorrow at 9 AM to watch this inspiring conversation aimed at providing the way ahead. pic.twitter.com/cNwZ4vY9By
કોરોના વાયરસ અને લૉકડાઉનને લઈને રાહુલ ગાંધી કેન્દ્રના નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે અને સરકારની નીતિઓ પર પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ સમયે આજે સવારે 9 વાગે રાહુલ ગાંધી નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનર્જીની સાથે કોરોનાના કારણે ચાલી રહેલા લૉકડાઉનથી થતા આર્થિક નુકસાન અને સરકારની નીતિઓ પર ચર્ચા કરી શકે છે. અગાઉ પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક દિવસોની ચેલેન્જને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન સાથે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિને લઈને પ્રહાર કર્યા હતા.
ઓછા ટેસ્ટિંગને લઈને કર્યા પ્રશ્નો
ત્યારબાદ રાહુલ ગાંધીએ કોરોના પરીક્ષણ અંગે સવાલ કર્યા હતા. આ અંગે રઘુરામ રાજને કહ્યું કે જો આપણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી હોય તો પરીક્ષણની ક્ષમતા વધારવી પડશે. આપણે સમૂહ પરીક્ષણ તરફ જવું પડશે. અમેરિકાનું ઉદાહરણ લો. ત્યાં એક દિવસમાં દોઢ લાખ સુધીના ટેસ્ટ થાય છે. પરંતુ ત્યાંના નિષ્ણાતો માને છે કે આ ક્ષમતાને ત્રણ ગણી કરવાની જરૂર છે. એટલે કે, જો દરરોજ 5 લાખ ટેસ્ટ કરવામાં આવે છે, તો તમે લોકડાઉન ખોલવા વિશે વિચારી શકો છો. રઘુરામ રાજને રાહુલ ગાંધીને કહ્યું હતું કે કેટલાક દૈનિક 10 લાખ સુધીના ટેસ્ટની પણ વાત કરી રહ્યા છે. ભારતની વસ્તી જોતાં આપણે તેના ટેસ્ટની સંખ્યા ચાર ગણી કરવી જોઈએ. જો તમારે અમેરિકાના સ્તરે પહોંચવું છે તો આપણે દરરોજ 20 લાખ ટેસ્ટ રોજ કરવાના રહેશે. પરંતુ અમે ફક્ત 22-30 હજાર પરીક્ષણો કરી શક્યા છીએ.
નોકરીઓ પર પડશે અસર
રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો છે કે કોરોના સંક્રમણને કારણે નોકરીઓ પર શું અસર પડશે. જવાબમાં રાજને કહ્યું કે આંકડા ચોંકાવનારા છે. આ કારણે લગભગ 10 કરોડ લોકો બેરોજગાર થશે. 5 કરોડની નોકરી જશે અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ કારણે જરૂરી છે કે અર્થવ્યવસ્થાને સમજી વિચારીને ફરી પાટા પર લાવવાના પ્રયાસ કરવામાં આવે.