છેલ્લા 10 દિવસમાં નારિયેળ પાણીના ભાવ 40-50 રૂપિયાથી 70-80 રૂપિયા સુધી એટલે કે લગભગ બમણા વધ્યા છે. કોરોનાના કારણે લોકો નારિયેળ પાણીનો ઉપયોગ વધારી રહ્યા છે.
કોરોના મહામારીનું વધુ એક માઠું પરિણામ
10 દિવસમાં નારિયેળ પાણીના ભાવમાં થયો બમણો વધારો
નારિયેળ પાણીથી મળે છે આ મોટા ફાયદા
આ છે નારિયેળ પાણીના ફાયદા
નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ સારા પ્રમાણમાં હોય છે. જેનાથી થાક કે નબળાઈ હોય તો સારું પરિણામ મળી શકે છે. નારિયેળમાં લગભગ 600 મિલિગ્રામ પોટેશિયમ હોય છે.
શરીરને રોજનું 2600 મિલિગ્રામથી 3400 મિલિગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. આ સાથે અન્ય ફળ સિવાય જો તમે 1 કે 2 નારિયેળ પીવાની આદત રાખો છો તો તમે અનેક બીમારી સામે લડી શકો છો. ડોક્ટરની પણ સલાહ છે કે રોજ નારિયેળ પાણીને જમ્યા બાદ પીવું જરૂરી છે.
નબળાઈ દૂર કરવાની સાથે જ નારિયેળ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. તેના વધારે સેવનથી લો બીપીની ફરિયાદ આવી શકે છે. જરૂરી પ્રમાણમાં નારિયેળ પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
10 દિવસમાં નારિયેળ ખરીદનારા લોકોની સંખ્યા વધી
છેલ્લા 10 દિવસમાં કોરોના મહામારીના કેસ વધવાની સાથે જ લોકો નારિયેળ પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે. દુકાનદારો પણ નારિયેળના વધતા ભાવથી પરેશાન છે. જે નારિયેળ 40-50 રૂપિયે વેચાતા હતા તેના ભાવ હે 70-80 રૂપિયા સુધીના થઈ ચૂક્યા છે.