ગુજરાતમાં કોરોના સંકટને પહોંચી વળવા માટે હવે નવી ફોર્મ્યુલા અપનાવી છે. કેમ કે, નોકરી ધંધા બંધ કરીને લોકડાઉન કરવાથી આર્થિક નુકસાનની ભીતિ છે ત્યારે હવે ધારાસભ્યોને ઘરની બહાર નીકળીને અથવા તો ઘરે બેઠા બેઠા કોરોના સંકટમાં પહોંચી વળવા માટે કામે લગાડવા CM રૂપાણીએ કવાયત હાથ ધરી છે.
CM રૂપાણી MLA સાથે મળીને આ આંકડા પર કાબૂ મેળવવાની કોશિશ કરશે
છેલ્લા 2 મહિનાથી નોકરી ધંધા છે બંધ
ટેસ્ટિંગ ઓછા કરવાનો સરકાર પર છે આરોપ
CM રૂપાણીએ ડેસબોર્ડના માધ્યમથી માહિતી મેળવી છે. કોરોનાને લઇ ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. ગુજરાતમાં વિસ્તાર વાઈઝ સ્થાનિક ધારાસભ્યો સાથે મળીને કામગીરી કરવાની ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સથી ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે. આવતી કાલે સાંજે 6 કલાકે ધારાસભ્યો સાથે બેઠક કરીને ચર્ચા કરશે. હાલ કોરોનાની સ્થિતિને લઈને તમામ ધારાસભ્યોને પોતાના મતક્ષેત્રની જવાબદારી સોંપશે. અને ધારાસભ્યોનો કોરોનાની સ્થિતિ મામલે રિવ્યુ લેવાશે.
છેલ્લા 2 મહિનાથી નોકરી ધંધા છે બંધ
ગુજરાતમાં અબજો રૂપિયાનું નુકાસન થઈ ચુક્યુ છે કારણ કે કાયમ ચોવીસ કલાક ધમધમતુ સુરતનું હિરાબજરા હોય કે અબજોનું ટનઓવર કરતું અમદાવાદનું સિટિ વિસ્તારના હોલસેલ બજાર. 2 મહિના માટે આ તમામ સ્થગિત થઈ ગયા હતા. ત્યારે CM રૂપાણીએ આ નોકરી ધંધાને વેગવંતા બનાવવા કમર કસી છે પણ કોરોનાનો ખતરો પણ માથે તોળાઈ રહ્યો છે.
ટેસ્ટિંગ ઓછા કરવાનો સરકાર પર છે આરોપ
ગુજરાતના આંકડા છુપાવવા માટે કોરોનાના ટેસ્ટ ઓછા કરતા હોવાના પણ વિપક્ષ દ્વારા રૂપાણી સરકાર પર આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે વારંવાર આ અંગે ખુલાસાઓ આપતી સરકાર MLAના સહારે હવે કોરોના સામે ફેસ ટુ ફેસની લડાઈન લડવા જઈ રહી છે.
ગુજરાતમાં સરેરાશ સૌથી વધુ મોત
ગુજરાતમાં કોરોનાથી સરેરાશ સૌથી વધુ મોત નોંધાયા છે. હાલ ગુજરાતમાં દર 100 કોરોનાગ્રસ્ત વ્યક્તિમાંથી 6 લોકો મૃત્યુ પામે છે. જ્યારે દેશમાં આ દસ 3 ટકા જ છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે એવા મહારાષ્ટ્રમાં પણ મૃત્યુદર ખાલી 3.5 ટકા જ છે. એટલે ગુજરાત માથે કોરોનાસંકટનો ખતરો તોળાઈ રહ્યો છે.
ગીર સોમનાથના વેપારી, આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કર્યો છે. સીએમ રૂપાણીએ જિલ્લાના વેપારી, સામાજિક આગેવાનો વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સંવાદ કર્યો. જેમા કલેક્ટર, જિલ્લા પંચાયત અને નગારપાલિકાના પ્રમુખો પણ હાજર રહ્યા. આ દરમિયાન કોરોના સંદર્ભે આગેવાનોએ પ્રતિભાવ અને સૂચનો જણાવ્યા હતા.