કોરોના વાયરસના ખતરાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ આફતને પહોંચી વળવા માટે રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી દ્વારા રાહતફંડ શરૂ કરીને મદદ મેળવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ દાનની સરવાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યના અંબાજી મંદિર ટ્રસ્ટ તથા સોમનાથ મંદિર ટ્રસ્ટે કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પણ એક લાખ રૂપિયા રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા હતા.
ધારાસભ્ય મેવાણીએ 1.5 કરોડ રૂપિયા આપ્યા
My MLA quarter is available for quarantine :
साथ साथ मेरे मतक्षेत्र बडगाम गुजरात के जिस बनासकांठा जिले में है, वहां के किसी भी पुलिसकर्मी को यदि कोरोंटाईन करने की जरूरत पड़े तो मेरे MLA क्वार्टर का दरवाजे उसके लिए खुला रहेगा।
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 1.5 કરોડ રુપિયાની ગ્રાન્ટ રાજ્ય સરકારના રાહત ફંડ માટે ફાળવી હતી. આ સાથે બનાસકાંઠાના પોલીસ સ્ટાફ માટે ગાંધીનગર ખાતે આવેલ પોતાના મકાન આપવાની પણ ઓફર કરી હતી.
.@vijayrupani you can use all my MLA funds to fight against Corona :
मतक्षेत्र में विकास के लिए विधायक के तौर पर मुझे 1.50 करोड की जो राशि सालाना मिलती है। उसे सरकार कोरोना के खिलाफ लड़ने के लिए और वेन्टीलेटर्स खरीदने के लिए प्रयोग कर सकती है। यह मेरा सरकार के लिए प्रस्ताव है।
ગુજરાત ગ્રામ સેવક મંડળે CM રાહત ફંડમાં એક દિવસનો પગાર આપ્યો
દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાથી ગુજરાત ગ્રામ સેવક મંડળે CM રાહત ફંડમાં એક દિવસનો પગાર આપ્યો છે. રાજયના 21 ગ્રામસેવકોએ કુલ 2 લાખની સહાય કરી છે.
શિક્ષકોએ પગાર આપવાનો કર્યો નિર્ણય
કોરોના મહામારીને પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપવા શિક્ષકો પણ આગળ આવ્યા છે. ઠાસરા તાલુકાના 925થી વધુ શિક્ષકો એક દિવસનો પગાર રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસી ધારાસભ્યોએ આપ્યા 10-10 લાખ
ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 68 ધારાસભ્યો દ્વારા રૂપિયા 10-10 લાખની રકમ ફાળવવામાં આવી છે જે અંગે કલેક્ટરને પત્ર દ્વારા પણ જાણ કરાઈ છે.