ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે. તો અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે કારણ કે, રાજ્યના સૌથી વધુ કેસ અહીં જ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સે મોતને વ્હાલું કરી લીધાના અહેવાલ પ્રાપ્ત થયાં હતા.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી અને ન્યૂ મણીનગરમાં રહેતી 30 વર્ષીય શેફાલી મેકવાન નામની નર્સે પોતાના ફ્લેટના 10માં માળેથી મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.
આપઘાત કરવા પાછળનું કારણ અંકબધ
આ બનાવ અંગેની જાણ સ્થાનિકોએ રામોલ પોલીસ સ્ટેશને કરતા જ તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, કયા કારણોસર આ યુવતીએ આપઘાત કર્યો તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.
રાજ્યો કોરોના વાયરસ બન્યો છે બેકાબૂ
ગઇકાલે મોડી સાંજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 14063 થઇ છે. તો અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 35 કેસ કોરોના વાયરસના નોંધાયા છે.