ચીને દાવો કર્યો છે કે શુક્રવારે વુહાનમાં 14.7 લાખ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. તો ગુરૂવારે 10 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશના એક શહેરમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ટેસ્ટ કરવાની જાણકારી સામે આવી છે.
કોરોના વાયરસને લઇને ચીનનો મોટો નિર્ણય
વુહાનમાં 14.7 લાખ કોરોના વાયરસના કરાયા ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે, ચીનને હવે 1.1 કરોડની વસતી ધરાવતા વુહાન શહેરના તમામ નાગરિકોનો કોરોના ટેસ્ટ કરવાની વાત કરી હતી અને તે પણ માત્ર 10 દિવસની અંદર. આ માટેની યોજના અંગે કામ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવેલ અને ગુરૂવાર અને શુક્રવારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
એક દિવસમાં 14.7 લાખ લોકોના ટેસ્ટ કર્યા
ચીને વુહાનમાં એક દિવસમાં 14.7 લાખ લોકોના Nucleic Acid ટેસ્ટ કર્યા, વુહાનમાંથી 8 એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. ત્યારબાદ 9-10મેના રોજ પ્રથમ ક્લસ્ટર સામે આવેલ.
લૉકડાઉન હટ્યા બાદ કેસ આવ્યા સામે
લૉકડાઉન હટ્યા બાદ કોરોના વાયરસના કેસ સામે આવતા ચીને વુહાનમાં 14 મેના રોજ તે લોકોના ટેસ્ટ શરૂ કર્યા જેનામાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા.
વુહાનથી થઇ કોરોનાની શરૂઆત
આપને જણાવી દઇએ કે, વુહાન તે જગ્યા છે જ્યાંથી કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત થઇ અને કોરોના વાયરસનો સમગ્ર વિશ્વમાં ફેલાવો થયો.
ચીને કહ્યું વુહાનમાં સ્થિતિ સારી
ચીનના સત્તાવાર આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં દેશમાં કુલ 84 હજાર લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં 4600 લોકોના મોત થયાં છે. ચીનનું કહેવું છે કે હવે વુહાનમાં સ્થિતિ સારી છે.
અત્યંત ખર્ચાળ કામ છતાં લેવાયો નિર્ણય
ચીન હાલ એકી સાથે 60થી 80 લાખ લોકોનો ટેસ્ટ કરવાનું નક્કી કરી રહ્યું છે. આ અત્યંત ખર્ચાળ કામ છે. તેમ છતા દેશને ફરીથી કોરોનાગ્રસ્ત થતો રોકવા માટે જરૂરી છે. ભારતે પણ શરૂઆતના તબક્કામાં ચીનની જેમ આક્રમક થઈને કોરોના સામે ટેસ્ટ વધાર્યા હોત તો કોરોના પર કંટ્રોલ કરી શકાયો હોત. ખાસ કરીને ગુજરાતમાં 19 માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યાર બાદ માત્ર 4-5 દિવસમાં જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. એવામાં જો શરૂઆતમાં જ માસ ટેસ્ટિંગ કર્યું હોત તો સ્થિતિ કાબૂમાં હોત.