વાયુસેનાનું સૌથી મોટુ C-17 ગ્લોબમાસ્ટર વિમાન દવા સાથે કોરોનાવાયરસથી પ્રભાવિત ચીનના વુહાન માટે ઉડાન ભરવા તૈયાર છે.પરંતુ અત્યાર સુધી ચીનની તરફથી આ વિમાનને મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રોને મળતી જાણકારી મુજબ ચીન જાણીજોઇને ભારતીય વિમાનને મંજૂરી આપી રહ્યું નથી. દવા લઇને જે વિમાન જશે તે પરત ફરતી વખતે વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઇને પરત ફરશે.
શું ભારત પાસેથી સહાયતા નથી લેવા માગતું ચીન?
ચીન દ્વારા ભારતીય વિમાનને અપાઇ રહી નથી મંજૂરી
વાયુસેનાનું વિમાન ચીનના વુહાન માટે ઉડાન ભરવા તૈયાર
ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હડકંપ મચેલો જોવા મળી રહ્યો છે. એક મળતાં રિપોર્ટ મુજબ ચીનમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે અંદાજે 2200 લોકોનાં મોત નિપજ્યાં છે. કેટલાંક દેશો પોતાના નાગરિકોને ત્યાંથી નિકાળી ચૂક્યાં છે. આ મહિનાની શરૂઆતમાં ભારત તરફી બે વિશેષ વિમાનો દ્વારા અંદાજે 600 લોકોને એરલિફ્ટ કરી દેવામાં આવ્યાં હતા.
શું ભારત પાસેથી સહાયતા નથી લેવા માગતું ચીન?
સૂત્રોને જણાવ્યું કે ફ્રાંસ સહિત અન્ય દેશમાંથી રાહત અને નિકાસી ઉડાન ચીન માટે જઇ રહી છે. દવા સાથે જનારા ભારતીય વિમાનને ચીન સરકાર મંજૂરી આપવામાં કેમ મોડુ કરી રહી છે? શૂં ચીનને ભારતીય સહાયમાં રસ નથી?
મદદની વાત યાદ કરાવશે ભારત
સૂત્રોએ જણાવ્યું કે ભારત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી મદદની રજૂઆતને યાદ કરાવશે. ચીનને યાદ અપાવવું પડશે કે કેવી રીતે ભારત સરકારે ચીનને દરેક પ્રકારે શક્ય હોય તેટલી મદદ કરવાની રજૂઆતકરી હતી.
ચીને આરોપોથી કર્યો ઇન્કાર
દવા સાથે આવનારા વિમાનને મંજૂરી આપવામાં કોઇપણ પ્રકારની મંજૂરી આપવામાં મોડુ કરવાનો આરોપને લઇને ઇન્કાર કર્યો છે. ચીનને શુક્રવારે કહ્યું કે બંને દેશોના અધિકારીઓ આ વિમાનની યાત્રાને અંતિમ ઓપ આપવાને લઇને વિચાર વિમર્શ કરી રહ્યાં છે.