અત્યાર સુધી ભારત આવેલા 1984 ફ્લાઈટોના 2,15, 824 મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી છે. કોરોના વાયરસની શંકામાં દેશભરમાં 9678 લોકોને બાકીનાં લોકોથી અલગ રાખવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં 1563 શંકાસ્પદ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
સોમવારે 2097 નવા કેસ સામે આવ્યા છે
2,15,824 પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું
કોરાના વાયરસના કારણે 24 કલાકમાં થયાં આટલા મોત
કોરોના વાયરસની સૌથી મોટી અસર ચીનની અર્થ વ્યવસ્થા પર પડી છે
કોરના વાયરસ ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ચીનમાં સોમવારે કોરોના વાયરસને લીધે 103 લોકોના જીવ ગયા છે. અત્યાર સુધીમાં 1018 લોકોના મોત થઈ ચૂક્યાં છે. હુબેઈ હેલ્થ કમિશન મુજબ સોમવારે 2097 નવા કેસ સામે આવ્યાં છે. કોરોના વાયરસની સૌથી મોટી અસર ચીનની અર્થ વ્યવસ્થા પર પડી છે.
18 જાન્યુઆરીથી આ થર્મલ સ્કેનર કાર્યરત
કોરોના વાયરસને લઈને દુનિયાનાં કેટલાય દેશ પર એલર્ટ પર છે. કોરોના વાયરસ પર કન્ટ્રોલ મેળવવા માટે ભારતીય એક પોર્ટ પર સોમવારે સાંજ સુધીમાં 2. 15 લાખથી વધારે લોકોના થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યાં છે. કોરોના વાયરસ ગ્રસ્તની તપાસ માટે 18 જાન્યુઆરીથી આ થર્મલ સ્કેનર કાર્યરત છે.
1984 વિમાનોના 2,15, 824 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
આ બધાની વચ્ચે સોમવારે વિભિન્ન કેન્દ્રીય મંત્રાલયો તથા દેશોના સભ્યો રાજ્યોની વચ્ચે કોરોના વાયરસ પર નિયંત્રણ લાવવા એક મહત્વની સમીક્ષા બેઠક પણ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં સચિવ પ્રીતિ સૂદાને કહ્યું કે અત્યાર સુધીમાં 1984 વિમાનોમાં 2,15, 824 પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું છે.
ભારતમાં અત્યાર સુધીમાં ફક્ત 3 લોકોમાં જ કોરોના વાયરસનાં લક્ષણો
કોરોના વાયરસની શંકાના પગલે 9678 લોકો બાકીના લોકોથી અલગ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1563 શંકાસ્પદ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 3 વ્યક્તિઓના નમૂનાને છોડીને કોઈ પણમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.
કોરોના વાયરસ કેમ ખતરનાક છે
નોવેલ કોરોના વાયરસનાં મુખ્ય લક્ષણો છે તાવ, ખાંસી અને સ્વાસ લેવામાં તકલીફ પડવી, રેડિયોલોજીકલ સાક્ષ્ય નિમોનિયા જેવા હોય છે. 10 ટકાથી 20 ટકામાં આ રોગ એેટલો ગંભીર બની શકે છે કે તેમને વેન્ટિલેટરની મદદની જરુર પડી શકે છે. આવા કિસ્સામાં મૃત્યુ દર લગભગ 2 ટકા છે.