દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ભારતમાં 95735 કેસ સામે આવતા દેશમાં કોરોના કુલ આંકની સંખ્યા 44 લાખ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યા છે. કોરોનાના લક્ષણોવાળા જેટલા પણ દર્દીના રેપિડ એન્ટીજન ટેસ્ટ(RAT)માં તેમના સંક્રમણથી મુક્ત થયાની ખરાઈ થઈ છે. તેમની આરટી-પીસીઆર તપાસ કરવામાં આવે. જેનાથી કોરોના વાયરસના સંક્રમિત દરેક વ્યક્તિની શોધ કરી શકાય અને સંક્રમણને ફેલાતા રોકી શકાય.
આરટી પીસીઆરના માધ્યમથી તપાસ કરવી જરુરી છે
તપાસના 2-3 દિવસ બાદ લક્ષણ આવવા લાગે છે
જેથી સંક્રમિત દરેક વ્યક્તિની શોધ કરી શકાય અને સંક્રમણને ફેલાતા રોકી શકાય
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આરએટીમાં સંક્રમણમુક્ત જોવા મળેલા લક્ષણોવાળા તમામ કેસમાં અને આરએટીમાં સંક્રમણ મુક્ત જોવા મળેલા એવા લક્ષણ વગરના કેસમાં કે જેમાં તપાસના 2-3 દિવસ બાદ લક્ષણ આવવા લાગે છે. તેમની આરટી પીસીઆરના માધ્યમથી તપાસ કરવી જરુરી છે. મંત્રાલયે કહ્યું છે કે જે મામલામાં સંક્રમણમુક્ત થવાની ખરાઈ ખોટી છે તેમને સમય રહેતા ખબર પડે તો તેમને આઈસોલેટ કરી શકાય. સાથે હોસ્પિટલમાં દાખલ કરી શકાય.
આ દિશા નિર્દેશ ત્યારે આપવામાં આવ્યા જ્યારે 60 ટકા નવા કેસ ફક્ત 4 રાજ્યોમાંથી આવ્યા છે. મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 23 હજાર 446 કેસ નોંધાયા છે. તો આંધ્રપ્રદેશમાં 10 હજાર 175 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં પણ 9 હજાર 217 કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 6988 અને તમિલનાડુમાં 5528 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 4308 કેસ અને ઓડિશામાં 3991 કેસ નોંધાયા છે.