કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ પર નિયંત્રણ જાળવી રાખવા માટે મિશન 100 દિવસ અભિયાન શરુ કર્યું છે.
કેન્દ્ર સરકારે કોરોના પર નિયંત્રણ રાખવા મિશન 100 દિવસ અભિયાન શરુ કર્યું
5 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટ જણાવે છે કે સંક્રમણ યુક્ત વિસ્તારો કંટ્રોલમાં- WHO
જલસા અને રેલીનું આયોજન પ્રતિકાત્મક
કેન્દ્ર સરકારે કોરોના પર નિયંત્રણ રાખવા મિશન 100 દિવસ અભિયાન શરુ કર્યું
નવરાત્રિ, દશેરા અને દીવાલી જેવા તહેવારોને જોતા કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ પર નિયંત્રણ જાળવી રાખવા માટે મિશન 100 દિવસ અભિયાન શરુ કર્યું છે. મામલા સાથે જોડાયેલા લોકોના હવાલાથી HTએ આ જાણકારી આપી છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં 2,30, 971 કોરોના કેસ છે. ત્યારે 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 34 જિલ્લામાં કોરોના સંક્રમણનો અઠવાડિક પોઝિટિવિટિ રેટ ઓછોમાં ઓછો 10 ટકાની આસપાસ છે. WHOના જણાવ્યાનુંસાર 5 ટકાથી ઓછા પોઝિટિવિટી રેટ જણાવે છે કે સંક્રમણ યુક્ત વિસ્તારો કંટ્રોલમાં છે. આશંકા એ વાતની છે કે આ ઓક્ટોબરથી શુરુ થનારા 3 મહિનાના તહેવાર સીઝન કોરોના સંક્રમણમાં વૃદ્ધિનું કારણ બની શકે છે.
તહેવારોનું આયોજન ઓનલાઈન જ કરવું જોઈએ
કેન્દ્ર સરકારના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે આ વર્ષે કોરોના સેફ તહેવારો થવા જોઈએ જેનો મતલબ છે કે લોકોને સંક્રમણ રોકવા માટે તહેવારોનું આયોજન ઓનલાઈન જ કરવું જોઈએ. મને રાજ્યો કરતા વધારે સતર્ક રહેવા કહી રહ્યા છીએ. જેથી આગલા 100 દિવસ સુધી કોરોના વ્યવહારનું પાલન સુનિશ્ચિત કરી શકાય. ત્યારે આ દેશોને કોરોનાની વધુ એક લહેરથી સુરક્ષિત રાખી શકાય.
અધિકારીઓએ કહ્યું કે ભીડમાં પોતાને સુરક્ષિત થવાની ભાવના વ્યાપક થઈ ગઈ છે. એટલા માટે બહું જરુરી છે કે લોકોને સતર્ક રહેવા માટે જણાવવામાં આવે. કોરોનાને રોકવા માટે આપણે જે કરી રહ્યા છીએ તેને લગન સાથે કરવાની જરુર છે. સાથે તમામ માપદંડો અને ઉપાયોને વધારે સારા કરવાની જરુર છે.
જલસા અને રેલીનું આયોજન પ્રતિકાત્મક
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં 5 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ છે. તેનાથી કન્ટેનમેન્ટ ઝોનમાં મોટા પાયે ભીડ ભેગી ન થવા દેવા કહ્યું છે. જો કોઈ જિલ્લામાં ભીડની પરવાનગી આપવામાં આવે છે તો તેના માટે સંપૂર્ણ પરવાનગીની જરુર અને કાર્યક્રમમાં શામેલ થનારા લોકોની સંખ્યા પણ નિશ્ચિત થશે. ગાઈડલાઈન મુજબ શારિરીક અને વ્યક્તિગત મીટિંગને પ્રોત્સાહન નહીં આપવામાં આવ. દર્શન અને વર્ચ્યૂઅલ સેલિબ્રેશનને પ્રોત્સાહિત કરવામાં આવશે. પુતળા દહન, પંડાલ ભ્રમણ, ડાંડિયા અને ગરબાનું આયોજન પ્રતિકાત્મક થવું જોઈએ.
5 રાજ્યોમાં 5 ટકા અઠવાડિક સંક્રમણ દર
દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 28 જિલ્લામાં અઠવાડિક પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા છે. મિઝોરમ, કેરળ, સિક્કિમ, મણિપુર અને મેઘાલયમાં અઠવાડિક પોઝિટિવિટી રેટ ઓછામાં ઓછો 5 ટકાની આસપાસ છે. સ્વાસ્થ્ય અધિકારીઓ સતત રહી રહ્યા છે તહેવારની સીઝનમાં વધારે સતર્ક રહો કેમ કે સંક્રમણ હજું ખતમ નથી થયું.
ભીડમાં જતા પહેલા બિન જરુરી યાત્રા ન કરો
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે હાજર સ્થિતિને અમે હળવામાં ન લઈ શકીએ. આપણે યાદ રાખવું પડશે કે કોરોના હજું ગયો નથી. જો સતર્ક નહીં રહીએ તો તે ફરી વિકરાળ રુપ ધારણ કરી શકે છે. લોકો ભીડમાં જતા અટકે અને જરુર વગર પ્રવાસ ન કરવો જોઈએ. જેટલું શક્ય હોય ઘર પર જ રહો અને તહેવાર દરમિયાન ઓનસાઈન શોપિંગ કરે.