અમેરિકામાં કોરોના વાયરસનો કહેર વધારે ભયાનક બન્યો છે. કોરોના વાયરસ હવે રહસ્યમયી રીતે શરીરની અંદર લોહીને જમા કરી રહ્યું છે. આ ચૌંકાવનારી ઘટના અમેરિકામાં 1-2 નહીં પણ અનેક જગ્યાઓએ બની છે. અનેક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
વધ્યો કોરોનાનો ખતરો
હવે શરીરમાં લોહી જમા કરીને કરશે એટેક
અમેરિકામાં જોવા મળી રહ્યા છે આવા કેસ
અમેરિકાના એટલાન્ટામાં એમોરી યુનિવર્સિટી હેલ્થ સિસ્ટમના આધીન 10 હોસ્પિટલોમાં શરીરની અંદર લોહી જામી જવાથી લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોક્ટરોને ખ્યાલ આવી રહગ્યો નથી કે શરીરમાં આવું શા કારણે થઈ રહ્યું છે.
કઈ રીતે આવું બને છે તેનું કારણ મળ્યું નથી
મળતી માહિતી અનુસાર એટલાન્ટામાં આ પ્રકારના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એક હોસ્પિટલમાં શરીરમાં લોહી જામી જવાના કારણે 20 ટકા દર્દીઓના મોત થયા છે અને ક્યાંક 30થી 40 ટકાના મોત થયા છે. આ સંકટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને રોકવાનો કોઈ ઉપાય નથી. ઉપાય પણ ત્યારે શોધી શકાય જ્યારે તેનું કારણ ખ્યાલ આવે.
મેડિકલ સાયન્સમાં પણ ઉપાય નથી
પહેલાં કોરોના વાયરસના લક્ષણોમાં ફેફસાં, કિડની, લિવર, હાર્ટ, મગજ, આંતરડા પર વધારે અસર થતી હતી. પરંતુ હવે તો તે લોહીને ટાર્ગેટ કરી રહયો છે. ઉલ્લેખનીય છે તે મેડિકલ સાયન્સમાં પણ શરીરમાં લોહી જામવાનો કોઈ ઉપાય નથી. તેનાથી બચવા માટે લોહીને પાતળું કરનારું થિનર આપવામાં આવે છે.પણ કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં થિનર પણ કામ કરતું નથી.
આવા ફેરફાર દેખાય છે દર્દીના શરીરમાં
સામાન્ય રીતે ડોક્ટરોએ નોટિસ કર્યું છે કે પહેલાં કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં ઓક્સીજનનું સ્તર ઘટે છે અને સાથે જ તેઓ બેહોશ બને છે. તેમને હાર્ટ એટેક આવે છે. પણ લોહીમાં આવેલા ફેરફારને ડોક્ટર્સ સમજી શકતા નથી.
લોહીમાં આ રીતે અસર કરે છે કોરોના
લોહી જામવું એટલે કે શરીરની અંદરનું લોહી જેલ જેવું બની જાય છે. અને પછી તે કડક થઈ જાય છે. સામાન્ય રીતે બ્લડ ક્લોટિંગ કે લોહી જામવાની સમસ્યા ઈબોલા, ડેન્ગ્યૂ કે અન્ય પ્રકારના હેમોરેજિક તાવમાં જોવા મળે છે. કોરોનામાં આવા લક્ષણો પહેલીવાર જોવા મળ્યા છે. દર્દીના શરીરના પોસ્ટમોર્ટમ કરાયા ત્યારે ખ્યાલ આવ્યો કે દર્દીના ફેફસામાં લોહીના નાના કણો બની ગયા હતા. હાર્ટની નળીઓ, મગજની નસોમાં લોહી જામવું, તેના કારણે મગજે કામ કરવાનું બંધ કર્યું હતું. તેના કારણે દર્દીઓના મોત થતા હતા.
એક યુનિવર્સિટીમાં થયેલા સંશોધનથી જાણવા મળે છે કે દર વર્ષે અમેરિકી ડોક્ટર્સ લોહી જામવાની સમસ્યાથી લડતા રહે છે. આવું પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. અને શા માટે થઈ રહ્યું છે તે પણ જાણવા મળી રહ્યું નથી.
જ્યારે લોહી જામવા લાગે ત્યારે આ લક્ષણો જોવા મળે છે
ડોક્ટર્સના કહ્યા અનુસાર જ્યારે દર્દીના શરીરમાં લોહી જામવા લાગે છે ત્યારે પહેલાં તેના પગ ભૂરા પડે છે, તે સૂજવા લાગે છે. આ સમયે લોહીને પાતળું કરનારું થિનર પણ કામ કરતું નથી. હવે એક જ રસ્તો છે કે કોરોનાના દર્દીના લોહીની સફાઈ કરે જેવું ડાયાલિસીસમાં હોય છે. બ્લડ ક્લોટિંગની તકલીફ ક્યાં સુધી ક્યોર થશે, તેનો ઈલાજ શું છે અને તેની સાથે કઈ સમસ્યાઓ આવી રહી છે તેનો જવાબ હાલમાં કોઈની પાસે નથી.