દેશમાં જીવલેણ વાયરસ કોરોના મહામારીના કેસ આજે વધ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે અને 514 લોકોના મોત પણ થઈ ગયા છે.
એક દિવસ બાદ ફરી કેસો વધ્યા
આજે 30 હજારથી વધારે નવા કેસ આવ્યા
514 લોકોના થયાં છે મોત
દેશમાં જીવલેણ વાયરસ કોરોના મહામારીના કેસ આજે વધ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે અને 514 લોકોના મોત પણ થઈ ગયા છે. કાલે 27 હજાર 409 કેસ આવ્યા હતાં. એટલે કે, કાલની સરખામણીએ આજે કેસો વધ્યા છે. જોઈ લો આ રહી કોરોનાની તાજી સ્થિતી.
એક્ટિવ કેસ ઘટીને 3 લાખ 7 હજાર 240 થયાં
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર 240 થઈ ગઈ છે. તો વળી આ મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 9 હજાર 872 થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 4 કરોડ 18 લાખ 43 હજાર 446 લોકો સંક્રમણ મુક્ત થયા છે.
India reports 30,615 fresh COVID cases (11% higher than yesterday's numbers), 82,988 recoveries, and 514 deaths in the last 24 hours
Active case: 3,70,240
Daily positivity rate: 2.45%
Total recoveries: 4,18,43,446
આપને જણાવી દઈએ કે, દક્ષિણ રાજ્ય કેરલમાં હજૂ પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવી રહ્યા છે. અહીં 10,000થી નીચે આવ્યા બાદ મંગળવારે 11,7776 નવા કેસો સામે આવવાથી દૈનિક કેસોમાં આંશિક વધારો નોંધાયો છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા વધીને 64,28,148 થઈ ગઈ છે.
અત્યાર સુધીમાં લગભગ 173 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના વાયરસ વિરોધી રસીના લગભગ 173 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 41 લાખ 54 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા હતા, જે બાદ અત્યાર સુધીમાં કુલ 173 કરોડ 86 લાખ 81 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા છે.