કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાયો છે જેને લઇને તેને WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. જો કે ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 83 કેસ સામે આવ્યાં છે, જેમાં 66 ભારતીય અને 17 વિદેશી સામેલ છે. જેમાં કુલ 10 લોકોની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 83 કેસ સામે આવ્યાં
10 લોકોની તબિયતમાં સુધારો જોવા મળ્યો
ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા
દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત 83 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ આ 83 સંક્રમિતમાંથી 10 લોકોનો ઇલાજ પણ કરવામાં આવ્યો છે. જ્યારે બાકી અન્ય 73 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. જ્યારે 2 લોકોના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં છે.
ઇટાલીમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 250 લોકોના મોત થયા છે. જ્યારે 24 કલાકમાં કોરોનાથી 2547 કેસ નોંધાયા છે. જ્યારે ઇટાલીમાં કોરોનાથી કુલ 1266 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાના કુલ 17,660 કેસ નોંધાયા છે. સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા ઇટાલીની સરકારે કડક પગલા ભર્યા છે.
કોરોના વાયરસને લઇને ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
કોરોના વાયરસના કારણે અમેરિકામાં કટોકટી જાહેર થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. કટોકટી જાહેર થતા જ અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે.
વિશ્વમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિતો અને કોરોના વાયરસના કારણે મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મહામારી કોરોના વાયરસ વિશ્વ માટે એક ગંભીર સમસ્યા બની રહી છે. વિશ્વમાં કોરોના વાયરસના કુલ 1 લાખ 45 હજાર 637 કેસ નોંધાયા છે. કુલ કેસમાંથી 72 હજાર 529 દર્દી તંદુરસ્ત થયા છે. જ્યારે કુલ સંક્રમિત 67 હજાર 672 માંથી 6,082 દર્દીની હાલત ક્રિટિકલ છે. વિશ્વમાં કોરોના વાયરસથી કુલ 5 હજાર 436 લોકોનાં મોત થયા છે. જ્યારે કોરોનાથી ચીનમાં સૌથી વધુ 3 હજાર 189 લોકોના મોત થયા છે.