યુરોપમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.
યુરોપમાં 5 લાખ હજું વધારે લોકોના માર્યા જવાની આશંકા-WHO
53 દેશોમાં સંક્રમણના દરમાં વૃધ્ધિ
યુરોપમાં આ અઠવાડિયે કોરોનાના 18 લાખ મામલા
યુરોપમાં 5 લાખ હજું વધારે લોકોના માર્યા જવાની આશંકા-WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી 2022 સુધી સમગ્ર યુરોપમાં 5 લાખ હજું વધારે લોકોના માર્યા જવાની આશંકા છે. આ રીતે યુરોપ એક વર્ષ બાદ ફરી કોરોનાનું એપી સેન્ટર બનવાની રાહ પર છે. હાલ આનો એક મોટો ભાગ સંક્રમણથી લડી રહ્યો છે.
53 દેશોમાં સંક્રમણના દરમાં વૃધ્ધિ
યુરોપમાં WHOના નિર્દેશ હેન્સ ક્લૂઝે કહ્યું કે સંઘના 53 દેશોમાં સંક્રમણની વર્તમાન દર ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે એક અનુમાન અનુસાર જો વર્તમાન સ્થિતિ જારી રહી તો આવતા વર્ષે (2022) ફેબ્રુઆરી સુધી લગભગ 5 લાખ લોકોના કોરોનાથી મોત થશે. તેમણે કહ્યું કે ગત એક અઠવાડિયામાં 53 દેશોમાં કોરોનાને લીધે હોસ્પિટલમાં દાખલ થવાનો દર બે ગણાથી વધારે વધ્યો છે.
આ અઠવાડિયામાં 18 લાખ મામલા
ક્લૂઝે કહ્યું કે યુરોપમાં આ અઠવાડિયે કોરોનાના 18 લાખ મામલા સામે આવ્યા છે. આ ગત વર્ષની સરખામણીએ 6 ટકાથી વધારે છે. ત્યારે કોરોનાથી આ અઠવાડિયે 24 હજાર લોકોના મોત થયા છે. આ ગત અઠવાડિયાની સરખામણીમાં 12 ટકા વધારે છે. યુરોપમાં સતત 5માં અઠવાડિયે કોરોનાના કેસ વધ્યા છે. યુરોપમાં એક લાખ લોકો પર 192 કેસ સામે આવી રહ્યા છે.
જર્મનીમાં સૌથી વધારે દર્દી
જર્મનીમાં ગુરુવારે મહામારી શરુ થયા બાદ સૌથી વધારે નવા મામલા સામે આવ્યા. જર્મનીમાં ગુરુવારે કોરોનાના 37, 120 નવા મામલા સામે આવ્યા. જ્યારે 154 દર્દીના મોત થયા છે. ત્યારે શુક્રવારે 37 હજાર નવા મામલા આવ્યા છે. નવા મામલાએ ગત વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં કોરોનાની વિરુદ્ધ લોકોને બન્ને ડોઝ લેવી પડશે. તેમજ તેમણે વધારે પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરનારી બૂસ્ટર ડોઝ આપવાનું અભિયાન તેજ કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત દેશમાં તપાસની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે.
ગ્રીસમાં પર કડકાઈ ભર્યા પગલા
ગ્રીસ સરકારે રસી ન લેનારા લોકો માટે પ્રતિબંધની જાહેરાત કરી છે. અઠવાડિયામાં 2 વાર કોરોના પરિક્ષણ અને સાર્વજનિક સેવાઓ, બેંકો, દુકાનો અને અન્ય સ્થાનો સુધી પહોચવા માટે નેગેટિવ રિપોર્ટ જરુરી છે. આ સાથે સરકારે બિન અનુપાલન વાળા વ્યવસાયો માટે દંડ પણ લગાવ્યો છે.
નવી લહેર આવવાના કારણ
ક્લૂઝે કહ્યું કે નવી લહેર આવવાના આ 3 કારણ છે. તેમણે કહ્યું કે જો લોકો તેના પર ધ્યાન નહીં આપે તો સ્થિતિ ભયંકર થઈ શકે છે.
1. પ્રતિબંધમાં ઢીલ
સરકારે કોરોનાના નિયમોમાં છુટ છાટ આપી. આ કારણે લોકો બેદરકાર થઈ રસ્તા પર નીકળી ગયા. સરકાર મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરી શકી. આ કારણે યુરોપમાં કોરોનાના મામલા વધવા લાગ્યા છે.
2. ઓછું રસીકરણ
યુરોપમાં રસીકરણનો દર ધીમો છે. જોવા જઈએ તો ઓછા રસી વાળા દેશોમાં લોકોને હોસ્પિટલમાં દાખલ થવાનો દર સ્પષ્ટ રુપથી વધારે છે. એટલું જ નહીં આ દેશોમાં મામલા તેજીથી વધી રહ્યા છે.
3. વાયરસના ફેલાવને રોકવાના ઉપાયો અને કેટલાક વિસ્તારોમાં રસીકરણના ઓછા દરે સરકારની ચિંતા વધારી છે. મામલાને કાબૂમાં કરવા માટે કોરોના પ્રોટોકોલનું યોગ્ય પાલન કરવાનું રહેશે.