દેશમાં નવા કેસમાં ગઈકાલની સરખામણીએ 11.5 ટકાનો વધારો થયો છે. 4 દિવસમાં સંક્રમણનો આંક વધ્યો છે.
ભારતમાં ફરી કોરોનાના રેકોર્ડ તોડતા કેસ
એક દિવસમાં 2 લાખ 60 હજાર 533 નવા કેસ
એક દિવસમાં દેશમાં કોરોનાથી 1 હજાર 492ના મૃત્યુ
દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં 2.60 લાખ નવા કેસના આવતાં જ ગઈકાલના કેસની સરખામણીએ 11. 5 ટાકનો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના
ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 47 લાખ 82 હજાર 461 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 28 લાખ 5 હજાર થઈ છે.
કોરોનાથી રિકવરી રેટ ઘટ્યો
કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની રિકવરીનો રેટ ઘટીને 87.23 ટકા થયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.
અઠવાડિયામાં રોજ મોતનો રેશિયો 66 ટકા વધ્યો
અઠવાડિયા દરમિયાન દૈનિક મૃત્યુના કિસ્સાઓમાં સરેરાશ 66 ટકાનો વધારો થયો છે: દેશમાં 10 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે કોરોનાથી કુલ 7206 લોકો મૃત્યુ પામ્યા છે. આ અર્થમાં, એક અઠવાડિયામાં દરરોજ મૃત્યુ પામેલા કોરોના દર્દીઓની સરેરાશ સંખ્યા 1029 હતી, પરંતુ આ સપ્તાહમાં (3 એપ્રિલથી 9 એપ્રિલ) કુલ 4326 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ સંદર્ભે, પાછલા અઠવાડિયામાં દરરોજ કોરોના દર્દીઓના મૃત્યુની સરેરાશ સંખ્યા 618 હતી. આ આંકડા દર્શાવે છે કે પહેલા અઠવાડિયામાં દરરોજ કોરોના દર્દીઓના મૃત્યુની સરેરાશ સંખ્યામાં બીજા સપ્તાહમાં 66.3 ટકાનો વધારો થયો છે.
સમયસર તપાસ ન થવાને કારણે, દર્દીને કોરોના સંક્રમણની ખબર નથી પડતી, આ પણ વધારો કરવા માટેનું એક મહત્વપૂર્ણ કારણ છે. જો યોગ્ય સમયે ખબર ન પડે , તો વ્યક્તિ મોડી સારવાર શરૂ કરે છે, જેનાથી તેને વધુ નુકસાન થાય છે.