માર્ચ મહિનાથી ભાવનગરમાં કોરોનાનો કહેર શરૂ થયો છે. શરૂઆતના દિવસોમાં મધ્યમ રહ્યાં બાદ હવે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી જ કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. આજ સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 556 થઇ છે. તો અત્યાર સુધીમાં 222 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. જ્યારે 13 લોકોના મોત અને 321 એક્ટિવ કેસ છે. શનિવારે 49 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 37 અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર
શનિવારે ભાવનગરમાં 49 કેસ નોંધાયા
શુક્રવારે સૌથી 69 કોરોનાના કેસ નોંધાયા
લૉકડાઉન બાદ અનલોક-1માં છૂટછાટ મળવાથી ભાવનગરમાં સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાતા કોરોનાના આંકડાને લઇને લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે. ત્યારે ભાવનગર આરોગ્ય વિભાગે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. જેમાં આજે(શનિવાર) ભાવનગર જિલ્લામાં કોરોનાના 49 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં 37 અને જીલ્લામાં 12 કેસ નોંધાયા છે. ત્યારે મનપા કમિશ્નરે પોઝિટિવ કેસોના નામ-વિસ્તાર છુપાવ્યા છે. ગઇકાલે મીડિયાએ કામગીરી વખોડતા આજે સાંજે ડેટા જાહેર કર્યો છે. દરરોજ 2 કલાકે અપાતા આંકડા આજે એક સાથે જાહેર કર્યા છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 556 થઇ છે.
છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસ
ભાવનગરમાં એક જ દિવસમાં સૌથી વધુ ગઇકાલે(શુક્રવાર) 69 કેસ નોંધાયા હતા. 9 જૂને 23 કેસ નોંધાયા, 8 જૂને 19 કેસ નોંધાયા, 7 જૂને 21 કેસ નોંધાયા, 6 જૂને 35 કેસ નોંધાયા, 5 જૂને 16 કેસ નોંધાયા, 4 જૂને 10 કેસ નોંધાયા, 3 જૂને 21 કેસ નોંધાયા, 2 જૂને 14 કેસ નોંધાયા છે. આમ છેલ્લા 10 દિવસમાં કોરોનાનો કહેર શહેરમાં વધ્યો છે.
ભાવનગરમાં કોરોનાના વધતા કેસ બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર મથામણ કરી રહ્યું છે. તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ અને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 556 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના નોંધાયેલા કેસ