મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે રાજ્યમાં ત્રીજી લહેરની આશંકા વધી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ 7 જિલ્લામાં વેક્સિનેશન વધારવાના આદેશ આપ્યા છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસમાં વધારો
રાજ્યમાં ત્રીજી લહેરની આશંકા વધી
સીએમ ઉદ્ધવ ઠાકરેએ 7 જિલ્લામાં વેક્સિનેશન વધારવાના આદેશ આપ્યા
દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની ચિંતાની વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગુરુવારે અહીં 9844 નવા કેસ આવ્યા છે. આ સિવાય રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.
રાજ્યમાં વધી રહ્યા છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 60,07,431 થઈ છે. સાથે 197 અન્ય લોકોના મોતની સાથે કુલ મૃતકોની સંખ્યા 1,19,859 પહોંચી છે. તેમાંથી 149 લોકોના મોત 48 કલાકમા થયા છે અને 48 લોકોના મોત છેલ્લા એક અઠવાડિયામાં થયા છે. વિભાગનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 95.93 ટકા છે. જ્યારે મૃત્યુદર વધીને 2 ટકા થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9371 રોગીને સાજા થયા બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. જેની સાથે સાજા થનારાની સંખ્યા 57,62,661 થઈ છે. આ સક્રિય કેસમાં સંખ્યા 1,21,767 પહોંચી છે. 24 કલાકમાં કોરોના વાયરસની તપાસ કરાઈ છે જેમાં 4,03,60,931 લોકોના ટેસ્ટ કરાયા છે.
વધારે સંક્રમણવાળા 7 વિસ્તારોમાં તપાસ અને વેક્સિનેશન વધારોઃ સીએમ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વાસ્થ્ય અધિકારીઓને રાજ્યના 7 જિલ્લા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણની તુલનાત્મક રીતે વધારે કેસ સામે આવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે એવા જિલ્લામાં તપાસ અને વેક્સિનેશનની સંખ્યા વધારવામાં આવે જ્યાં સંક્રમણ ખૂબ જ વધારે છે. તેઓએ એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધમાં ઢીલ આપવામાં ઉતાવળ કરવી નહીં અને વાયરસના પ્રસારને જોતા સ્થાનીક પ્રશાસને બેદરકારી રાખવી નહીં. રાયગઢ, રત્નાગિરી, સિંઘુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલીમાં સંક્રમણના વધારે કેસ સામે આવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે હાલમાં કોરોનાની બીજી લહેર ડેલ્ટા પ્લસ પ્રકાર અને ત્રીજી લહેરને જોતા સ્વાસ્થ્યને સારું રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે રાજ્યમાં સંક્રમણનો દર ઘટીને 0.15 ટકા થયો છે પરંતુ ઉપરના 7 જિલ્લામાં આ દર બમણો કે ત્રણ ગણો જોવા મળી રહ્યો છે.