દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. શનિવારે કોરોના દર્દીની સંખ્યા 90000ને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 90632 કેસ આવ્યા છે. આ સાથે જ 1065 લોકોના મોત પણ થયા છે. ભારત હવે દુનિયામાં કોરોના દર્દીની સંખ્યામાં બ્રાઝિલથી 10000 કેસ પાછળ છે. વિશ્વમાં એક દિવસમાં 90000થી વધુ કેસ આવનારો ભારત પ્રથમ દેશ બન્યો છે.
કયારે અટકશે કોરોના?
ભારતમાં એક દિવસમાં 90 હજાર 632 કેસ
ભારતમાં કોરોનાથી 24 કલાકમાં 1065ના મોત
भारत में पिछले 24 घंटों में कोरोना वायरस के 90,633 मामले सामने आए और 1,065 मौतें हुईं।
देश में #COVID19 पॉजिटिव मामलों की कुल संख्या 41,13,812 है जिसमें 8,62,320 सक्रिय मामले, 31,80,866 ठीक/डिस्चार्ज/विस्थापित मामले और 70,626 मौतें शामिल हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/aLywtC8qP0
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં કોરોનાના 8 લાખ 62 હજાર 320 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે 70 હજાર 626 દર્દીઓના જીવ ખોવાયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 31 લાખ 80 હજાર 865 લોકો રિકવર થઈ ચૂક્યા છે. આઈસીએમઆરના આધારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,92,654 કોરોના કેસની તપાસ થઈ છે જ્યારે અત્યારસુધીમાં 4,88,31,145 લોકોના ટેસ્ટ થયા છે.
कल (5 सितंबर) तक कोरोना वायरस के कुल 4,88,31,145 टेस्ट किए गए जिनमें से 10,92,654 टेस्ट कल किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/kBFkld94Wx
દુનિયામાં આવી છે કોરોનાની સ્થિતિ
વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. અહીં એક દિવસમાં 3 લાખ 474 કેસ આવ્યા છે. એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી 5 હજાર 814 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 67 લાખ 84 હજાર 786 નોંધાયા છે. વિશ્વમાં કોરોનાથી 8 લાખ 78 હજાર 354 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો સાથે જ સારી વાત એ પણ છે કે વિશ્વમાં 1 કરોડ 89 લાખ 36 હજાર 433 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.