ભારતમાં યથાવત કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીત વધી રહ્યું છે. એક દિવસમાં થનારા મોતનો આંક ડરાવનો છે. જ્યારે એક દિવસમાં નોંધાયી રહેલા કોરોનાના કેસ પણ ચિંતામાં સતત વધારો કરનારા છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 1 હજાર 149 લોકોના મૃત્યુ થયા છે.
એક દિવસમાં 92 હજાર 574 કેસ નોંધાયા
એક દિવસમાં ભારતમાં કોરોનાથી 1 હજાર 149 લોકોના મૃત્યુ
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 53 લાખ 98 હજાર 230 કેસ નોંધાઈ ચુક્યા છે
દેશમાં કુલ 86 હજાર 700થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ
ભારતમાં કોરોનાના એક દિવસમાં 92 હજાર 574 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 94 હજાર 384 લોકો સ્વસ્થ થયા છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 1 હજાર 149 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 53 લાખ 98 હજાર 230 કેસ નોંધાઈ ચુક્યા છે. હાલ દેશમાં કુલ 10 લાખ 10 હજાર 975 જેટલા એક્ટીવ કેસ છે. જ્યારે દેશમાં કુલ 86 હજાર 700થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
જો ભારતમાં કયા રાજ્યમાં કેટલું સંક્રમણ છે તેની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ 11,88,015 કેસ નોંધાયા છે જેમાં 2,97,480 એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં
6,17,776 કેસ છે જેમાંથી 81,763 એક્ટિવ કેસ છે. તમિલનાડુમાં 5,36,477 કેસ નોંધાયા છે જેમાંથી 46,453 કેસ એક્ટિવ છે. કર્ણાટકમાં 5,11,346 કુલ કેસ છે જેમાંથી 98,564 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં કુલ 3,48,517 કેસ નોંધાય જેમાંથી 66,874 એક્ટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. દુનિયામાં એક દિવસમાં 2 લાખ 91 હજાર 160 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે..જ્યારે એક જ દિવસમાં 5 હજાર 142 લોકોના મૃત્યુ થયા છે..દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4 કરોડને નજીક પહોંચી ગયો છે..કોરોનાએ દુનિયાના 9 લાખ 61 હજાર 300થી વધુ લોકોનો ભોગ લીધો છે.જ્યારે 2 કરોડ 25 લાખ 82 હજાર 580થી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ વિશ્વમાં કુલ 74 લાખ 38 હજાર 200થી વધુ એક્ટીવ કેસ છે..
જેમાં અમેરિકા 69,67,403 કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં 45,28,347 નોંધાયા છે. જ્યારે રશિયામાં 10,97,251 નોંધાઈ ચૂક્યા છે. એ બાદ પેરુમાં 7,62,865 કેસ અને કોલંબિયામાં 7,58,398 નોંધાયા છે.