અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દુનિયાના તાકાતવર દેશ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે. આ 3 દેશોમાં દુનિયાના 54 ટકા એટલે કે 1.48 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા છે. 44 ટકા એટલે કે 3 લાખ 92 હજારથી વધારેના મોત થયા છે. રોજના કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં સામે આવતાં મોતનો આંક પણ ઝડપથી વધી રહ્યો છે. સતત બીજા દિવસે પણ 24 કલાકમાં દેશમાં કોરોનાના 90 હજાર 802 કેસ આવ્યા છે. તો 1016 દર્દીઓના મોત થયા છે.
ભારતમાં સતત વકરતો કોરોના
એક દિવસમાં ભારતમાં કોરોનાના 90 હજાર 802 કેસ
એક દિવસમાં કોરોનાથી ભારતમાં 1016 લોકોના મૃત્યુ
ભારતમાં કુલ 42 લાખથી વધુ કેસ નોંધાયા
દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 42 લાખને પાર થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 42 લાખ 4 હજાર 614 લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 90 હજાર 802 કેસ મળ્યા છે અને સાથે જ 1016 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યારે કોરોનાના 8 લાખ 82 હજાર 542 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 32 લાખ 50 હજાર 429 દર્દીઓ સાજા થયા છે અને 71642 લોકોના જીવ ગયા છે.
India's #COVID19 case tally crosses 42 lakh mark with a spike of 90,802 new cases & 1,016 deaths reported in the last 24 hours.
The total case tally stands at 42,04,614 including 8,82,542 active cases, 32,50,429 cured/discharged/migrated & 71,642 deaths: Ministry of Health pic.twitter.com/TKc9rQKwoc
અમેરિકા ભારત અને બ્રાઝિલ જેવા તાકાતવાળા દેશ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. આ 3 દેશોમાં દુનિયાના 54 ટકા એટલે કે 1.48 કરોડથી વધુ સંક્રમિત લોકો છે. 44 ટકા એટલે કે 3 લાખ 92 હજાર લોકોના મોત થયા છે. રોજ કોરોનાથી સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે અને મોતનો આંક ભારતમાં સૌથી વધારે ઝડપથી વધી રહ્યો છે. આ આંક વર્લ્ડોમીટરની વેબસાઈટથી લેવાયા છે.
આ રાજ્યોમાં છે કોરોનાના સૌથી વધારે દર્દીઓ
દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 2 લાખથી વધારે સંક્રમિતોની સારવાર ચાલી રહી છે. બીજા નંબરે તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી અને ચોથા નંબરે ગુજરાત છે તો પાંચમા નંબરે પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અહીં સૌથી વધારે કેસ દુનિયામાં ભારતમાં છે અને બીજા નંબરે તેનું નામ આવે છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતનો નંબર મૃત્યુઆંકમાં પણ વધુ છે.
कल (6 सितंबर) तक कोरोना वायरस के लिए कुल 4,95,51,507 टेस्ट किए गए, जिनमें से 7,20,362 टेस्ट कल किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/mjWmKQR462
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આધારે 6 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કુલ 4 કરોડ 98 લાખ સેમ્પલ ટેસ્ટ થયા છે. તેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. પોઝિટિવિટી રેટ 7 ટકાથી પણ ઓછો છે, કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોને છે. કોરોનાથી થતા મોત 51 ટકા અને તે પણ 60 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના લોકોમાં જોવા મળે છે.
મૃત્યુદરમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો
દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.71 ટકા થયો છે, આ સિવાય એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તે ઘટીને 21 ટકા થઈ છે. આ સાથે રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર 77 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.