દિલ્હીમાં કોવિડના વધતા જતા કેસની વચ્ચે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજીને રાજધાનીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી.
દિલ્હીમાં આજે આવ્યા સૌથી વધુ કેસ
એક દિવસમાં નોંધાયા 10 હજારથી પણ વધુ કેસ
રસીકરણ માટે કેન્દ્ર સરકારને મંજૂરી આપવા કહ્યું
દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસની વચ્ચે સીએમ અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજીને દેશની રાજધાનીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા 10 થી 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાની ગતિછે. સીએમ કેજરીવાલના જણાવ્યા મુજબ, દિલ્હીમાં આ ચોથી લહેર છે, તે પહેલાં અમે તમામ લહેરોની સામે ખૂબ સારી રીતે લડ્યા અને બધું બરાબર ચાલ્યું. માર્ચના મધ્ય સુધીમાં, દરરોજ 200 કરતા ઓછા કેસ સામે આવવાનું શરૂ થયું હતું, પણ છેલ્લા 24 કલાકના અહેવાલ મુજબ 10732 કેસ નોંધાયા છે. આ નવેમ્બર મહિના કરતાં વધુ છે, જે અત્યાર સુધી દિલ્હીનું પિક માનવામાં આવતું હતું. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જે કરવાની જરૂર છે તે અમે કરી રહ્યા છીએ.
આ લહેર ખતરનાક છે
તેમણે કહ્યું કે નવેમ્બરના સમયથી આ લહેરની ટોચ ખતરનાક છે, અમે લોકડાઉન લાદવા નથી માંગતા પરંતુ ગઈકાલે સરકારે કેટલાક પ્રતિબંધો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. બસ હવે 50% ક્ષમતા સાથે દોડશે તેવી જ રીતે મેટ્રો પણ 50% ક્ષમતાથી ઓપરેટ કરાશે અને બાર અને રેસ્ટોરન્ટ પણ 50% ક્ષમતાથી સંચાલિત થશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે અમે હાલમાં ત્રણ કક્ષાએ કામ કરી રહ્યા છીએ. પ્રથમ, કોરોનાને ફેલાવાથી કેવી રીતે રોકી શકાય, સરકાર તેમાં એકલા કંઈ કરી શકતી નથી, તમામ લોકોના સહકારની જરૂર છે જેમ કે તમે અગાઉ સહકાર આપ્યો હતો. કોરોનાના નિયમોનું પાલન કરો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને તમારા હાથ ધોઈ લો અને ખૂબ જ મહત્વપૂર્ણ હોય ત્યારે જ ઘરની બહાર નીકળો.
કોઈ સામગ્રીની તંગી ન હોવી જોઈએ
બીજો મુદ્દો કે જે તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની સામગ્રી જેવી કે ઓક્સિજન અથવા વેન્ટિલેટરની કોઈ તંગી ન હોવી જોઇએ, અમે તેની વ્યવસ્થા કરી છે, નવેમ્બરમાં જે લહેર 8500ની સુધીની હતી, તે આજે 10700 ની ઉપર પહોંચી ગઈ છે. ગઈકાલે મેં લોક નાયક હોસ્પિટલની સમીક્ષા કરી છે. કેજરીવાલના કહેવા પ્રમાણે, કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે તેમને બેડ નથી મળતા, હું તેમને કોરોના એપ્લિકેશન જોવા માટે કહીશ, જ્યાં બેડ ઉપલબ્ધ છે ત્યાં જ જાય.
રસીકરણ પર પ્રતિબંધો હટાવવાની કેન્દ્રને વિનંતી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે રસીકરણ પર લગાવવામાં આવેલ તમામ પ્રતિબંધો હટાવવામાં આવે. અમારો સ્ટાફ ઘરે ઘરે રસીકરણ માટે તૈયાર છે. વડા પ્રધાન સાથેની બેઠકમાં બે ત્રણ મુખ્યમંત્રીઓએ કહ્યું કે અમે બે-ત્રણ મહિનામાં અમારા લોકોને રસી આપીશું. તેમણે કહ્યું કે દિલ્હીનો ડેટા દર્શાવે છે કે 65% કેસ 35 વર્ષથી ઓછી વયના લોકો પર આવી રહ્યા છે, તો ચેઇન કેવી રીતે તૂટશે કારણ કે તેમને રસી આપવાની મંજૂરી નથી. તેમણે કહ્યું કે આનાથી મોટી વિરોધાભાસ શું હોઈ શકે, કે આ રસી આવી ગઈ છે, પરંતુ અમે હજી પણ કોરોના સાથે લડી રહ્યા છીએ.