ભારતમાં કોરોના વાઇરસનો ખતરો ધીમે ધીમે ઓછો થતો નજરે પડી રહ્યો છે. ભારત માટે ખરેખર આ રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે કોરોના વાઇરસના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેના પરથી એવું હવે સ્પષ્ટપણે આંકડાના આધારે લાગી રહ્યું છે કે કોરોનાનું પીક હવે ખતમ થવામાં છે અને ભારત હવે કોરોના સામેનો જંગ જીતવાની નજીકમાં છે.
ભારતમાં કોરોના વાઇરસનો ખતરો ધીમે ધીમે ઓછો થયો
વધુને વધુ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ રહ્યા
તાજેતરમાં કોરોનાના નવા દર્દીનો આંક ઘટીને 55000 પર આવી ગયો
છેલ્લા ર૧ કરતાં વધુ દિવસમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ર૧ સપ્ટેમ્બરે ર૮,૬પ૩ કેસ ઘટયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ૬ર.ર૪ લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ એક બાજુ કોરોનાના નવા અને એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને બીજી બાજુ કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. એજ રીતે કોરોના સંક્રમિતોના મૃત્યુનો દર પણ સતત ઘટી રહ્યો છે. તાજેતરમાં કોરોનાના નવા દર્દીનો આંક ઘટીને પપ,૦૦૦ પર આવી ગયો હતો. આ પરથી સ્પષ્ટ છે કે કોરોના સામેના જંગમાં ભારતની મહેનત હવે રંગ લાવી રહી છે.
વધુને વધુ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ રહ્યા
છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોરોના વોરિયર્સ સતત કોરોના સામે લડી રહ્યા છે. એટલું જ નહીં ભારતમાં સમગ્ર દુનિયામાં સૌથી વધુ કડક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. કોરોના મોરચે તબીબો અને નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સતત કોરોના દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે અને હવે કોરોના સામે કઇ કઇ દવાઓ કારગત નીવડી રહી છે તે પણ અનુભવના આધારે સ્પષ્ટ થઇ ગયું છે અને તેથી કોરોનાની સારવારમાં દર્દીઓનો કારગત ઇલાજ કરીને તેમને જલદી રાહત મળી રહી છે અને વધુને વધુ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ રહ્યા છે.
કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૧,૭૫,૮૮૧ થઈ ગઈ છે
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ભારત માટે રાહતના સમાચાર છે. સાથે સાથે કોરોના સંક્રમિતોના સાજા થવાના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા ર૪ કલાકમાં પપ,૩૪પ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે ૭૭,૧૯૪ દર્દીઓ સાજા થયા છે. આમ નવા સંક્રમિતોના કેસ સામે સાજા થનારા સંક્રમિતોની સંખ્યા વધી ગઇ છે. કોરોનાના કારણે ૭૦૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૧,૭૫,૮૮૧ થઈ ગઈ છે.
ભારતમાં રિકવરી રેટ ૮પ ટકા કરતાં વધી ગયો
કોરોનાના આંકડાઓ જોતાં ભારતમાં રિકવરી રેટ ૮પ ટકા કરતાં વધી ગયો છે. ભારતમાં હાલ ૮,૩૮,૭ર૯ એક્ટિવ કેસ છે જેનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટ સૌથી વધુ છે ભારતનાં સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને તેની સામે સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે. આજ કારણસર કોરોનાના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે ઉત્તરપ્રદેશમાં ૧.૪ર લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાંથી માત્ર ર,ર૩૪ લોકો જ પોઝિટિવ આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૩,૩૪ર દર્દીઓ સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગયા છે અને અત્યાર સુધી કુલ ૩,૯૩,૯૦૮ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ચૂકયા છે. એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૩૮,૮૧પ જ રહ્યા છે અને સંક્રમણ દર ઘટીને ૧.પ ટકા થઇ ગયો છે.
છેલ્લા રપ દિવસમાં ૪૩ ટકા એક્ટિવ કેસ ઘટયા
છેલ્લા રપ દિવસમાં ૪૩ ટકા એક્ટિવ કેસ ઘટયા છે. જ્યારે રિકવરી રેટ વધીને ૮૯.૭ ટકા થઇ ગયો છે. એકંદરે દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૪ ટકા થઇ ગયો છે અને જેમનો ઇલાજ ચાલી રહ્યો છે એવા એક્ટિવ કેસનો દર ઘટીને ૧ર ટકા થઇ ગયો છે. સાથે જ દર્દીઓ સાજા થવાનો રિકવરી રેટ વધીને ૮૬ ટકાથી વધુ થઇ ગયો છે. આમ ભારતમાં સતત રિકવરી રેટ વધી રહ્યો છે.