એક દિવસમાં 31, 222 નવા કેસની સામે આવ્યા છે. જો કે આ પહેલા સોમવારે પણ 40 હજારથી ઓછા કેસ મળ્યા હતા.
એક દિવસમાં 31, 222 નવા કેસની સામે આવ્યા
સોમવારે પણ 40 હજારથી ઓછા કેસ મળ્યા હતા
એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર
એક દિવસમાં 31, 222 નવા કેસની સામે આવ્યા
કોરોના વાયરસ પર ગત 24 કલાકમાં ભારતે ડબલ અટેલ કર્યો છે. એક તરફ દેશમાં 1.13 કરોડ લોકોના મહાઅભિયાન અંતર્ગત કોરોનાની રસી લાગી છે તો બીજી તરફ નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એક દિવસમાં 31, 222 નવા કેસની સામે આવ્યા છે. જે પહેલાના આંકડાની સરખામણીએ ઘણી ઓછી છે. આ પહેલા સોમવારે પણ 40 હજારથી ઓછા કેસ મળ્યા હતા. ગત લગભગ એક અઠવાડીયા સુધી 40 હજારથી વધારે નવા મામલા મળ્યા બાદ આ અછતે મોટી રાહત આપી છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે.
એક્ટિવ કેસની સંખ્યા 4 લાખને પાર
એક્ટિવ કેસોમાં આંકડા જે 4 લાખથી ઓછા થઈ ગયા હતા. ત્યારે એક વાર ફરીથી ઓછા થતા 3, 92, 864 થયા છે. આ ઉપરાંત રિકવરી રેટ હવે 97.48 ટકા થઈ ગયા છે. કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસોની ટકાવારી હવે 1.19 ટકા છે. નવા કેસોમાં ઘટાડાની સાથે રિકવરી રેટ પણ સારો રહ્યો છે. ગત એક દિવસમાં 42, 942 લોકો સાજા થઈ ગયા છે. આ રીતે 24 કલાકમાં જ એક્ટિવ કેસોની સંખ્યામાં 11 હજારથી વધારે ઘટાડો આવ્યો છે. અત્યાર સુધી દેશમાં 3, 22, 24, 937 લોકો સાજા થઈ ચૂક્યા છે.
રસીકરણે ત્રીજી લહેર પર વાર કર્યો
કોરોનાની જંગમાં રસીકરણ મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે અને દેશ તે તરફ આગળ વધી રહ્યો છે. ગત 11 દિવસમાં ત્રીજી વાર એક દિવસમાં 1 કરોડથી વધારે ડોઝ લાગ્યા છે. આ સાથે હવે કુલ રસીકરણના આંકડા 70 કરોડની નજીક પહોંચી ગયા છે. એટલું જ નહીં હિમાચલ, સિક્કિમ અને દાદરા અને નગર હવેલી જેવા રાજ્યોમાં સંપૂર્ણ વસ્તીને રસીના ઓછામાં ઓછા એક ડોઝ લાગી ચૂક્યા છે. યૂપી, મધ્ય પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં તેજીથી રસીકરણ જારી છે. તેવામાં મનાઈ રહ્યું છે કે ત્રીજી લહેર જો આવે પણ છે તો પહેલા જેવી અસર નહીં કરે.