દિલ્હીમાં કોરોનાની ભયંકર સ્થિતિ સર્જાઇ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30 ટકા છે. તો ઑક્સિજનની અછત છે અને હવે માત્ર 100 ICU બેડ વધ્યા છે.
અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં, મદદ પણ મળી રહી છેઃ કેજરીવાલ
7000 બેડ્સ કેન્દ્ર સરકારે રિઝર્વ કરેઃ કેજરીવાલ
શનિવારે ગત 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા
રાજધાની દિલ્હીમાં હવે દરરોજ નવા રેકૉર્ડ બનવા લાગ્યા છે. અહીં શનિવારે ગત 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા. એટલ દર કલાકે 1000થી વધુ સંક્રમિત મળ્યા. એક દિવસમાં સૌથી વધુ સંક્રમિતો મળવાનો આ સૌથી મોટો આંકડો છે. આ રીતે ગત 24 કલાકમાં 167 લોકોના કોરોનાથી મોત થયા. આ પણ અત્યાર સુધીના મોતનો સૌથી મોટો આંકડો છે.
કોરોનાથી બગડતી પરિસ્થિતિ પર રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 24 હજાર કેસ આવ્યા હતા અને તેનાથી છેલ્લા 24 કલાકમાં સાડા 19 હજાર કેસ આવ્યા હતા. આનાથી ખબર પડી રહી છે કે કોરોના ઝડપથી વધી રહ્યો છે. તેનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે દિલ્હીમાં પૉઝિટિવિટી રેટ વધીને 30 ટકા થઇ ગયો. જ્યારે આનાથી 24 કલાક પહેલા સુધી આ 24 ટકા હતો. દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે જે બેડ રિઝર્વ છે, તે ઘણા ઝડપથી પૂર્ણ થઇ રહ્યા છે. આઈસીયૂ બેડ્સની ઘણી અછત છે. સમગ્ર દિલ્હીમાં મળીને 100થી ઓછા આઈસીયૂ બેડ્સ વધ્યા છે.
અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં, મદદ પણ મળી રહી છેઃ કેજરીવાલ
તેમણે કહ્યું કે, ઑક્સીજનની પણ ઘણી અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને તેમની પાસેથી મદદ પણ મળી રહી છે જે મદદમાટે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. ડૉ. હર્ષવર્ધન સાથે કાલે સાંજે વાત થઇ હતી તેમને પણ અમે જણાવ્યું કે બેડની જરૂરિયાત છે, અમિત શાહજી સાથે પણ વાત થઇ હતી તો તેમને પણ જણાવ્યું કે બેડની જરૂરિયાત છે.
7000 બેડ્સ કેન્દ્ર સરકારે રિઝર્વ કરેઃ કેજરીવાલ
સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના કુલ મળીને 10000 બેડ છે જેમાંથી હજુ અંદાજિત 1800 બેડ જ કોરોના માટે રિઝર્વ થયા છે, અમારુ નિવેદન છે કે ઓછામાં ઓછા 7000 બેડ્સ કોરોના માટે રિઝર્વ કરે. આગામી 2-3 દિવસમાં 6000 ઓક્સીજન બેડ અમે તૈયાર કરી લઇશું. અનેક હોસ્પિટલોમાં હાઈ ફ્લો ઑક્સીજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કૉમન વેલ્થ ગેમ, રાધા સ્વામી સત્સંગ, શાળાઓમાં પણ વ્યવસ્થા કરી રહ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ (18 એપ્રિલ, 2021)
ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યા છે જ્યારે 1,501 લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ એક દિવસમાં 1,38,423 લોકો સાજા પણ થયા છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે.