અનલૉક થયા બાદ ભારતમાં કોરોના જાણે કે બેકાબૂ થયો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 9 લાખને પાર થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં નવા 28 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી દેશમાં 23 હજાર 500 લોકોના અવસાન થઇ ચૂક્યા છે.
કોરોના ભારતમાં બન્યો બેકાબૂ
ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 9 લાખને પાર
23 હજાર 500થી વ ધુ લોકોના અત્યાર સુધીમાં થઇ ચૂક્યા છે મોત
સોમવાર સવારે 8 વાગ્યા સુધીના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ 28,701 કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 8,78,254 થઇ ગઇ હતી. પરંતુ અંદાજિત 12 કલાકમાં આ આંકડો 9 લાખને પાર ચાલ્યો ગયો છે.
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 6497 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,60,924 થઇ ગઇ છે. જ્યારે 193 લોકોના મોત થઇ ચૂક્યા છે. તેની સાથે જ પ્રદેશમાં કોવિડ-19ના કારણે મૃત્યુઆંક વધીને 10,482 થઇ ચૂકી છે.
ત્યારે તામિલનાડુમાં સોમવારે કોરોના વાયરસના 4,328 નવા કેસ સામે આવ્યા. જ્યારે 66 વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. આ સિવાય સોમવારે કોરોનાથી સંક્રમિત 3,035 દર્દીઓ સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના આંકડા વધીને 1,42,798 થઇ ગયા છે. જેમાં 92,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે, જ્યારે એક્ટિવ કેસ 48,196 છે. તામિલનાડુમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,032 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
ત્યારે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 2,738 કેસ સામે આવ્યા છે. જેમાંથી 1315 કેસ માત્ર બેંગલુરૂના છે. જ્યારે 73 દર્દીના મોત થયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 839 કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1246 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 40 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેની સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,13,740 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક વધીને 3,411 થઇ ગઇ છે. જોકે સ્વસ્થ થનારાની સંખ્યા પણ ઘણી વધુ છે. દિલ્હીમાં કોરોનાનોરિકવરી રેટ રેકૉર્ડ 80.28 ટકા છે.
આ સિવાય આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં 1935 નવા કેસ સામે આવ્યા છે. 36 લોકોના મોત થયા છે, ત્યારે બિહારમાં પણ ગત 24 કલાકમાં 1116 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ બિહારમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 17,421 થઇ ગઇ છે. રાજસ્થાનમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,435 નવા કેસ મળ્યા છે, જ્યારે તેલંગાણામાં 1550 નવા કેસ સામે આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના 1664 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસનો આ સૌથી વધુ આંકડો છે. જેમાંથી 196 લખનૌમાં છે, 120 ગાઝિયાબાદમાં અને 90 નોઇડામાં મળ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 38,130 થઇ ગયો છે. જોકે અત્યાર સુધીમાં 24,203 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. જ્યારે 12,972 દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 869 દર્દી સાજા થયા છે. મૃત્યુઆંક વધીને 955 પર પહોંચ્યો છે. ગત 24 કલાકમાં 21 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 902 કેસ નોંધાયા
હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વધુ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યમાં રોજનાં કોરોનાનાં કેસો 800ને પાર નોંધાતા હતા. પરંતુ પહેલી વખત એક જ દિવસમાં કોરોના કેસની સંખ્યા 900ને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 902 કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અનલોકનાં તબક્કામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં વધુ 207 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં નવા 152 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 42 હજાર 808 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 2 હજાર 57 અને ડિસ્ચાર્જનો કુલ આંક 29 હજાર 806 પર પહોંચ્યો છે. સતત નવા નોંધાતા કેસોને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10 હજાર 945 છે. જેમાંથી 74 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 10 હજાર 871 દર્દીઓની હાલત સ્થિર છે.