ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે પોતોનું પોત પ્રકાશી રહ્યો છે. કોરોનાને કારણે બીજુ મોત થતા ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નથી નોંધાયો પણ પાલનપુરમાં 4 અને વડોદરામાં એક કેસ શંકાસ્પદ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયુ છે.
પાલનપુરમાં 4 શંકાસ્પદ કેસ,
ઓસ્ટેલિયન ટ્રેઈનીમાં લક્ષણો જોવા મળ્યા
વડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ
પાલનપુરમાં ઓસ્ટ્રેલિયાથી ઈર્ન્ટનશીપ કરવા આવેલ 4 યુવક યુવતીઓ શંકાસ્પદ
બનાસકાંઠામાં શંકાસ્પદ કોરોના વાયરસના ચાર કેસ હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે.
આ ચાર કેસ ઑસ્ટ્રેલિયાથી આવેલા તાલિમાર્થીના છે જેમને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીસાની ભણશાલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચાર વ્યક્તિમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે.
વડોદરામાં એક શંકાસ્પદ કેસ
વડોદરા 65વર્ષ ના વૃદ્વનો કોરોનાવાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
અમેરિકા થી વતન વડોદરા જીલ્લા ના કરજણ આવ્યા બાદ તબિયત લથડી સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ માં દાખલ 11 માર્ચે અમેરિકા થી દિલ્હી અને કરજણ વતન આવ્યા હતા નમૂના અમદાવાદ ચકાસણી માટે મોકલાયા છે.
ગુજરાતમાં એલર્ટ
રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર ઓફર તારીખ 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત બાદ ગુજરાતમાં આ વાઇરસ ન ફેલાય તેની સાવચેતીના રૂપે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક, સામાજિક મેળાવડાઓના નાના-મોટા પ્રસંગો ટાળવા, મોકૂફ રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ
રાજ્યમાં ગઈકાલ સુધી કોરોનાના કુલ 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી તમામ 68 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોના વાઇરસના ખતરાને ધ્યાને રાખી છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઇરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે.
રાજ્યમાં 572 આઇસોલેશન બેડની વ્યવસ્થા
આ ઉપરાંત સરકારે આઇસોલેશન વોર્ડની પણ વ્યવસ્થા કરી છે. જેમાં મેડીકલ કોલેજમાં 392 બેડ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 171 બેડ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 9 બેડ સહિત કુલ 572 આઇસોલેશન બેડ રાખવામાં આવ્યાં છે. આ સિવાય 204 જેટલા વેન્ટિલેટર બેડ રાખવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ વ્યક્તિને કોરોના વાઇરસની અસર જણાય તો તરત 104 નંબર ડાયલ કરવો.