દેશના 8 રાજ્યોના 63 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધતાની સાથે કેન્દ્રએ ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે.
દેશમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું
8 રાજ્યોના 63 જિલ્લામાં કોરોનાએ વધારી ચિંતા
કેન્દ્રએ સતર્કતા સાથે આપ્યા ટેસ્ટિંગની સંખ્યા વધારવાના આદેશ
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી માથું ઉંચકી રહ્યું છે ત્યારે નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના 18327 નવા કેસ આવ્યા છે અને સાથે કુલ કેસની સંખ્યા 1.11 કરોડથી વધી છે. શનિવારે દેશમાં 26 દિવસ બાદ સોથી વધુ કેસ નોંઘાયા છે.
पिछले 24 घंटे में सामने आए कोरोना वायरस के 82% नए मामले महाराष्ट्र, केरल, पंजाब, तमिलनाडु और कर्नाटक से हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19
કુલ કેસના 82 ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુમાં રોજ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શનિવારે કુલ કેસમાં 82 ટકા કેસ આ રાજ્યોના હોવાનું જાણવા મળી રહ્યું છે.
आज केरल में 2,791 नए #COVID19 मामले, 16 मौतें और 3,517 रिकवरी दर्ज़ की गई। पिछले 24 घंटों में COVID19 के लिए कुल 61,764 टेस्ट किए गए हैं: केरल CM पिनराई विजयन pic.twitter.com/WHrZF9Wro6
8 રાજ્યોમાં સંક્રમણ વધતા વધી ચિંતા
દેશના 8 રાજ્યોમાં 63 જિલ્લામાં કોરોના વાયરસ વધી રહ્યો છે. આ જિલ્લામાં સંક્રમણના કેસ જોતા લાગી રહ્યું છે કે અહીં સ્થિતિ ખરાબ છે. તેમાં ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ જેવા પહાડી રાજ્યોના કેટલાક શહેરો પણ સામેલ છે.
दिल्ली में पिछले 24 घंटों में 321 नए कोविड मामले, 320 रिकवरी और 1 मौत दर्ज़ की गई।
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કરી બેઠક
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે શનિવારે આ અંગે બેઠક કરી હતી. તેમાં આ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિને લઈને આંકડા રજૂ કરાયા હતા. આ પરથી ખ્યાલ આવ્યો કે રાજ્ય સરકારે આ સંવેદનશીલ જિલ્લાની તરફ જ નહી પણ આ દરેક જિલ્લામાં જિલ્લા પ્રશાસનની તરફથી ટેસ્ટિંગનું કામ વધારવાની જરૂર છે. તેમાં બેદરકારી થવી એ ચિંતાનો વિષય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલે શનિવારે દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, ગોવા, ચંડીગઢ, હરિયાણા અને આંધ્રપ્રદેશના સ્વાસ્થ્ય સચિવ અને રાજ્ય સ્વાસ્થ્ય મિશનના નિર્દેશકની સાથે બેઠક કરી હતી.
महाराष्ट्र में पिछले 24 घंटों में 10,187 नए कोविड मामले, 6,080 डिस्चार्ज और 47 मौतें दर्ज़ की गई।
कुल मामले: 22,08,586
कुल रिकवरी: 20,62,031
मृत्यु: 52,440
सक्रिय मामले: 92,897 pic.twitter.com/7qAcueeqzA
બેઠકમાં જાણવા મળ્યું કે હરિયાણાના 15, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના 10-10, હિમાચલ પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 2 અને ચંડીગઢના 1 જિલ્લામાં કોરોના વાયરસના ટેસ્ટિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જિલ્લામાં આરટી પીસીઆરની તપાસમાં પણ બેદરકારી જોવા મળી છે. આ સમયે વી. કે. પોલે કહ્યું કે સ્થિતિ ચિંતાજનક છે પણ નિયંત્રણમાં લેવા માટેનો પણ યોગ્ય સમય છે.