મંત્રાલયની તરફથી કેન્દ્ર સરકારના દરેક વિભાગોને આપવામાં આવેલા સંદેશમાં કહેવાયું છે કે દરેક મંત્રાલયો, વિભાગો, કાર્યાલયોને અનુરોધ છે કે નવા આદેશ ન મળે ત્યાં સુધી કેન્ટીન ખોલવામાં ન આવે. આ નિર્ણય દેશમાં ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
દેશમાં સરકારી કાર્યાલયો થયા શરૂ
નવા આદેશ ન મળે ત્યાં સુધી કેન્ટીન બંધ
કોરોનાને ધ્યાનમાં રાખીને લેવાયો આ નિર્ણય
કેન્દ્ર સરકારે તેની તમામ કચેરીઓમાં ચાલતી ખાતાકીય કેન્ટીનને કોરોના વાયરસ રોકવા માટે લેવામાં આવતા પગલાઓના ભાગ રૂપે બંધ કરી દીધી છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સક્ષમ અધિકારીની મંજૂરીથી, નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારના મંત્રાલયો / વિભાગો / કચેરીઓમાં તમામ વિભાગીય કેન્ટીન્સ તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે.
નવા આદેશ સુધી બંધ રહેશે કેન્ટીન
મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને મોકલેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, બધા મંત્રાલયો / વિભાગો / કચેરીઓને આગલા ઓર્ડર સુધી કેન્ટીન ન ખોલવા વિનંતી છે. ગૃહ મંત્રાલયની લૉકડાઉન મુક્તિના માર્ગદર્શિકા હેઠળ નાયબ સચિવ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ સોમવારથી કામગીરી સંભાળ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
રાજ્યોમાં દાળનું વિતરણ થયું શરૂ
ગુજરાત, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્ર સરકાર વતી રાશન દુકાન માંથી નિ: શુલ્ક દાળનું વિતરણ શરૂ કર્યું છે. ખાદ્યમંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને એક કિલો દાળ આપવામાં આવશે. મંત્રાલયના નિવેદન મુજબ મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે પણ દાળ પહોંચી ચૂકી છે. મંત્રાલયે જણાવ્યું છે કે હાલ સુધીમાં 1,07,077.85 દાળનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં મળશે દાળ
અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, દમણ અને દીવ, ગોવા અને ગુજરાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાશનકાર્ડ ધારકોને દાળનું મફત વિતરણ શરૂ કર્યું છે. કોરોના વાયરસ રોગચાળાના સંકટ વચ્ચે ગરીબ લોકોની અન્ન સુરક્ષાની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે હકદાર લોકોને મફત દાળ આપવાનો નિર્ણય કર્યો છે. આ દાળનું વિતરણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવશે. આ યોજનાથી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 19.50 કરોડ પરિવારોને લાભ થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે ગરીબોને દાળ ઉપરાંત સરકાર પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ પણ આપશે. આ રાશન રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આપવામાં આવેલા અનાજથી અલગ હશે.