તમને પણ સાંભળીને નવાઈ લાગતી હશે કે પહેલાં કોરોના સંક્રમિત થયેલા દર્દી ફરીથી કોરોના ગ્રસ્ત કઈ રીતે થઈ શકે? દક્ષિણ કોરિયામાં હાલમાં 141 દર્દીઓ ફરીથી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. દક્ષિણ કોરિયાના ડોક્ટર જણાવે છે કે શા માટે એક વાર ઠીક થયેલા દર્દીઓ ફરી કોરોના સંક્રમણનો શિકાર બને છે.
કોરોના સંકટ
વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ
સાજા થયેલા દર્દીઓમાં આ કારણે ફરી ફેલાય છે કોરોના સંક્રમણ
કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની પ્રયોગશાળામાં આ શોધ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાયરસ માણસના શરીરમાં રહેલા ઈમ્યૂન સેલ્સ એટલે કે રોગપ્રતિરોધક શક્તિની કોશિકાઓ એટલે કે ટી-લિમ્ફોસાઈટ્સ પર આક્રમણ કરે છે. આ કારણે કોશિકાઓ નિષ્ક્રિય બને છે. ટી-લિમ્ફોસાઈટ્સના નિષ્ક્રિય થવાના કારણે ફરી સંક્રમણનો ખતરો વધે છે. એક વાર કોઈ વ્યક્તિના શરીરની ઈમ્યૂનિટી ઓછી થાય છે તો તેને ફરી રિકવર કરવામાં મહિનાઓનો સમય લાગે છે.
આ રીતે શરીરમાં રહીને વાર કરે છે કોરોના
કોરોના વાયરસ જ્યારે એક વાર શરીર પર હુમલો કરે છે ત્યારે તે શરીરની અંદર જ સૂઈ જાય છે. અથવા તો તે થોડા સમય માટે પોતાની હરકત બંધ કરી દે છે. જેથી લાગે છે કે તે ક્યોર થઈ ચૂક્યો છે. જ્યારે કોરોના વાયરસને લાગે છે કે હવે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે ત્યારે તે ફરીથી તરત જ હુમલો કરે છે. એટલે કે ફરીથી તમારા શરીરમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે.
રિચર્ચમાં સામે આવી આ વાત
જ્યારે અગાઉ કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીનું પરીક્ષણ કરાયું ત્યારે જાણવા મળ્યું કે 1 મહિના પહેલાં જે દર્દીને સાજો કરાયો હતો તેમાં ફરી લક્ષણો જોવા મળ્યા હતા. આ સમયે તેની ઈમ્યુનિટીની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે નબળી પડી છે અને તેનો ફાયદો આ વાયરસ ઉઠાવી રહ્યો છે.
આ વાતની થઈ સ્પષ્ટતા
દક્ષિણ કોરિયા, અમેરિકા અને ચીનમાં એકસાથે થયેલા સંશોધનના પરિણામથી જાણી શકતાય છે કે કોરોના વાયરસ શરીરના ટી-લિમ્ફોસાઈટ્સ પર હુમલો કરે છે. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. ટી-લિમ્ફોસાઈટ્સ શરીરની એ કોશિકાઓ છે જે કોઈ પણ રોગ સામે લડવામાં મદદ કરે છે.