કોરોના વાયરસ 5 દિવસના ભ્રૂણની અંદર પહોંચી શકે છે. જેનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે.
કોરોનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે
કોરોના ગર્ભમાં હાજર ભ્રૂણને સંક્રમિત કરી શકે છે
ગર્ભપાતની સંખ્યામાં વધારો થયો છે
કોરોનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે
કોરોના વાયરસને સક્રમણથી થનારા નુકસાનને લઈને દુનિયાભરમાં આ દિવસોમાં અલગ અલગ રિસર્ચ અને સ્ટડી કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ભારતમાં કરવામાં આવેલ સ્ટડીથી ખબર પડે છે કે પ્રેગનેન્સી દરમિયાન ભ્રૂણ પર કોરોનાનું સંકટ બનેલું રહેશે. ચિંતાની વાત એ છે કે વાયરસ 5 દિવસના ભ્રૂણની અંદર પણ પહોંચી શકે છે. જેનાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે. આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈસ્ટીટ્યૂટ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થે (NIRRH) કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટડી આઈવીએફથી વિકસિત 45 ભ્રૂણ પર કરવામાં આવ્યો છે.
કોરોના ગર્ભમાં હાજર ભ્રૂણને સંક્રમિત કરી શકે છે
શોધકર્તાઓના જણાવ્યાનુસાર સંક્રમિત માતાઓથી કોરોના ગર્ભમાં હાજર ભ્રૂણને સંક્રમિત કરી શકે છે. સાથે પ્રયોગશાળામાં આઈવીએફ પ્રક્રિયાઓ દરમિયાન પણ સંક્રમણનું સંકટ બની રહે છે. તેવામાં ગર્ભપાતની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં કોરોના સંક્રમણથી મહિલાઓ પ્રાકૃતિક અને આઈવીએફ બન્નેના માધ્યમથી ગર્ભધારમ કરવામાં નિષ્ફળ રહે છે. જો કે આના કોઈ પાક્કા પુરાવા નથી. પરંતુ પ્રાઈવેટ અને સરકાર હોસ્પિટલમાં અનેક મામલા સામે આવ્યા છે.
ભ્રૂણને થઈ શકે નુકસાન
એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીત કરતા અધ્યયન કરનારા ડો. દીપક મોદીએ કહ્યું કે અમે જોયું કે સમાન કોશિકાઓમાં ભ્રૂણ કોશિકાઓની અંદર વાયરસ પહોંચવા માટે તમામ મશીનરી હાજર હતી. આ ભ્રૂણોને નુકસાન પહોંચાડે છે. અમારી ટીમે એમ પણ જોયું કે ACE2 ની સાથે પ્રારંભિક ભ્રૂણની કોશિકાઓમાં કોરોના વાયરસના રિસેપ્ટર્સ હોય છે. જેનાતી તેનું સંક્રમણ થવાની શક્યતા છે.
ગર્ભપાતની સંખ્યામાં વધારો
મુંબઈમાં વાશીના ફોર્ટિસ હીરાનંદાની હોસ્પિટલમાં સલાહકાર સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ ડોક્ટર મંજિરી મહેતા કહે છે કે તેમણે કોરોના સંક્રમિત માતાઓમાં પહેલા અને સાથે બીજા ક્વાર્ટરમાં ગર્ભપાતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. બીવાઈએલ નાયર હોસ્પિટલ જ્યાં ગત વર્ષ મહામારી ફેલાયા બાદ 1000 થી વધારે કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. જ્યાં ગર્ભપાતના અનેક કેસ સામે આવ્યા છે.