ચીનથી દુનિયાભરમાં ફેલાનારા કોરોના વાયરસના સંક્રમણ હજુ સુધી અટકવાનું નામ લઈ રહ્યો નથી. દુનિયાભરમાં આ મહામારીથી 1 કરોડ 56 લાખથી પણ વધારે લોકો ભોગ બની ચૂક્યા છે જ્યારે 6.36 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમયે કોરોનાને લઈને એક ડરામણું રિસર્ચ સામે આવ્યું છે. તેમાં કહેવાયું છે કે કોરોના નાક, ગળા અને ફેફસાને સંક્રમિત કરે છે આ વાત તો જાણતા જ હતા. પણ હવે કહેવાય છે કે તે કાનને પણ સંક્રમિત કરી શકે છે.
કોરોનાનું નવું રૂપ આવ્યું સામે
રિસર્ચમાં સામે આવ્યુ નવું તારણ
ગળા, નાક અને ફેફસા બાદ હવે કાનને પણ કરી શકે છે સંક્રમિત
મેડિકલ જર્નલ JAMA Otolaryngologyના એક રિપોર્ટ અનુસાર આ શોધમાં એવા 3 દર્દીઓ જોવા મળ્યા જેમના કોરોના સંક્રમણના કારણે મોત થયા. તેમાંથી એક વ્યક્તિની ઉંમર 60 વર્ષની અને અન્ય 2 દર્દીની ઉંમર 80 વર્ષની હતી. બંને દર્દીઓના કાનમાં પાછળના હાડકામાં કોરોના ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનની ટીમનું માનવું છે કે આ શોધ બાદ કોરોના વાયરસના લક્ષણ વાળા લોકોમાં હવે કાનની તપાસ પણ જરૂરી બની છે.
ઈન્ફેક્શનના કારણે દર્દીમાં સાંભળવાની શક્તિ ઘટી
શોધમાં જાણવા મળ્યું કે 80 વર્ષની ઉંમરના દર્દીના જમણા કાનમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. જ્યારે 60 વર્ષના દર્દીમાં બેને માસ્ટૉયડમામં અને બંને કાનમાં મધ્યમાં પણ વાયરસ હતો. સ્ટડીમાં ખુલાસો થયો કે ઈન્ફેક્શનના કારણે દર્દીમાં સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દુનિયામાં કોરોના વાયરસના 1 કરોડ 56 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 6 લાખ 36 હજાર 475 લોકોના મોત થયા છે. કોરોના વેક્સીન બનાવવામાં દિગ્ગજ કંપનીઓ, વિદ્યાલયો અને સૈન્ય સંસ્થાઓ કામ કરી રહી છે અને તેમનો દાવો છે કે તેઓ જલ્દી જ વેક્સીન બનાવી લેશે.