કોરોના સંક્રમણમાં આંખો પણ સામેલ થઈ શકે છે. રેટિનામાં અનેક બદલાવ આવ્યા છે. રેટિનાના અનેક સ્તરમાં વાયરસના પાર્ટિકલ્સ દાખલ થઈ શકે છે.
કોરોના વાયરસનો વધતો કહેર
આંખના રેટિનાને પણ કરી છે અસર
સંક્રમિતોને રહે છે વધારે ખતરો
શ્વસન તંત્રથી સંક્રમણની શરૂઆત થયા બાદ કોરોના વાયરસ આખા શરીરમાં ફેલાઈ શકે છે. આ શરીરના અનેક અંગ અને ટિશ્યૂમાં દાખલ થઈ શકે છે. બ્રાઝિલના શોધકર્તાઓએ કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે કોરોનાથી સંક્રમિત લોકોને આંખના રેટિનામાં વાયરસની અસર જોવા મળી રહી છે.
આ દર્દીઓ પર પણ કરાયું રિસર્ચ
કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોને શરીરમાં આ ખતરનાક વાયરસના પ્રસારને લઈને એક રિસર્ચ કરાયું જેમાં કોરોનાથી જીવ ગુમાવનારા 3 દર્દીઓ પર રિસર્ચ કરાયું છે. આ દરેક દર્દીઓ આઈસીયૂમાં એડમિટ હતા અને વેન્ટિલેટર પર રખઆયા હતા. તેમની ઉંમર 69થી 78 વર્ષ હતી.
અનેક રીતથી રેટિનામાં કોરોનાની હાજરીને તપાસવામાં આવી
શોધકર્તાઓએ રેટિનામાં કોરોનાની હાજરીની જાણકારી મેળવવા માટે પીસીઆર ટેસ્ટ અને ઈમ્યૂનોલોજિકલ વિધિને અપનાવી. ઈમ્યૂનોફ્લોરેસેન્સ માઈક્રોસ્કોપીના માધ્યમથી દર્દીમાં રેટિનાના બહાર અને અંદરના પડમાં કોરોના પ્રોટીનની હાજરી જોવા મળી હતી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આંખમાં કોરોના સંક્રમણ સંબંધી અસામાન્યતાઓ જોવા મળી છે.